SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ થી ૮૨ = ૩૭ પ્રકાર અઘાતી કર્મની પ્રકૃતિના પ્રકારો હવે કહેવામાં આવશે. અશુભ નામ કર્મના ૩૪ ભેદો ૪૬ થી ૦૯ ૪૬. પ્રત્યેક ભેદમાંથી ઉપઘાત – જીવ પોતે પોતાના વધારાના અંગ ઉપાંગથી પીડા પામે, જેમ છઠ્ઠી આંગળી કે રસોળી જેવા અંગો. પિંડ પ્રકૃતિના ભેદોમાંથી. ૪૭. ગતિ : તિર્યંચ ગતિ, ૪૮ : નરક ગતિ. ૪૯ થી ૫૨ જાતિ : એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય ૫૩ થી ૫૭ સંઘયણ : (હાડકાની રચના) ૫૩. ૠષભનારાચ, (અત્યંત મજબૂત બાંધો.) ૫૪.નારાચ - ૫૫. અર્ધનારાચ, ૫૬, કીલિકા ૫૭. છેવઢું અર્થાત્ મજબૂતાઈ હીન થતી જાય. છેવઠ્ઠું અર્થાત્ પંચમકાળના સામાન્ય માનવીનું શરીર. ૫૮.સંસ્થાન (આકૃતિ) = ન્યગ્રોથ પરિમંડળ નાભિ ઉપરના અંગો સપ્રમાણ હોય તેવું શરીર. ૫૯. સાદિ : નાભિ નીચેના અંગો શુભ પ્રમાણયુક્ત. ૬૦. કુબ્જ : જેના ઉદયે કૂબડાપણું મળે. ૬૧. વામન : જેના ઉદયે ઠીંગણાપણું મળે. ૬૨. હુંડક : અંગો હીનાધીક તથા ઊંટ જેવા બેડોળ હોય. ૬૩. વર્ણ : અશુભવર્ણ કાળો, ભૂરો. ૬૪. દુર્ગંધ ઃ જેના ઉદયથી શરીરમાં દુર્ગંધ લાગે અથવા લસણ, ડુંગળી જેવા પદાર્થો કે મલિન પદાર્થોવાળું શરીર. ૬૫. અશુભરસ : જેના ઉદયથી જેનું શરીર તીખા કે કડવા રસવાળું હોય, મરચાં કે કારેલાં વગેરે. ૬૬. અશુભ સ્પર્શ ઃ જે કર્મના ઉદયથી શરીર કર્કશ, રૂક્ષ, ભારે સ્પર્શવાળું, જેમ કે જળ, સાગનાપાન, પારો વગેરે જીવના શરીર. ૬૭. આનુપૂર્વી : તિર્યંચાનું પૂર્વી-જેના ઉદયથી તિર્યંચમાં જતા જીવને ઉત્પત્તિક્ષેત્રે ગમન થાય. ૬૮. નકાનૂપૂર્વી : જેના ઉદયથી નરકમાં જતાં જીવને ઉત્પત્તિ ક્ષેત્રે વક્રગતિએ જવું પડે તે. ૬૯. વિહાયો ગતિ : વાંકી અશુભચાલ. સ્થાવર દશક નામકર્મ ૦૦ થી ૦૯ ૭૦.સ્થાવર : જેના ઉદયથી જીવ પ્રયોજન છતાં સ્વયં હાલી ચાલી ન શકે. ૭૧.સૂક્ષ્મ ઃ જેના ઉદયથી ચક્ષુ અગ્રાહ્ય શરીર મળે. ૬૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy