SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ B8% 85%winteressessocietences %80%E0%B8% A3%E0%B8%B5 ૯ વર્ણ (૫) ૧૦. ગંધ (૨) ૧૧ રસ (પ) ૧૨ સ્પર્શ(૮) ૨૦ ૧૩ આનુપૂર્વી (વિગ્રહગતિ) વક્રગતિથી ભવાંતરે જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણિ અનુસારે જે ગમન થાય છે. આનુપૂર્વી અંતરાલ (ભાવાંતરે) ગતિમાં જ હોય. આત્માની ગતિ ઋજુ સીધી છે. છતાં ગતિ પ્રમાણે આંતરો થાય છે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. ૧૪ વિહાયોગતિઃ ચાલવાની રીત તે વિહાયોગતિ. ( શુભ વિહાયોગતિઃ જેના ઉદયથી પ્રિય લાગે તેવી ચાલ મળે. જેમ કે હંસ, હાથી, બળદ. અશુભ વિહાયોગતિ જેના ઉદયથી અણગમો ઉપજે તેવી ચાલ મળે. ઊંટ, ખચ્ચર વગેરે. પ્રત્યેક પ્રકૃતિ - ભિન્ન ભિન્ન પ્રકૃતિ ૧ અગુરુ લઘુ : જેના ઉદયથી હલકુ નહિ અને ભારે નહિ તેવા શરીરની પ્રાપ્તિ થાય. ૨ નિર્માણ : જેના ઉદયથી શરીરના અંગોપાંગ યોગ્ય સ્થાને વ્યવસ્થિત મળે. ૩ આતપ : જેના ઉદયથી પોતે શીતળ હોવા છતાં તેનો પ્રકાશ ગરમ લાગે. આ શરીર સૂર્ય વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૪ ઉદ્યોત : જેના ઉદયથી પોતે શીત હોય અને તેનો પ્રકાશ પણ શીત હોય આવું શરીર ચંદ્રવિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૫ ઉપઘાત : જેના ઉદયથી જીવ પોતાના વધારાના અંગોપાંગથી પીડાય. દુઃખી થાય, વધારાની આંગળી કે રસોળી. ૬ પરાઘાત : જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહિ. ૭ ઉચ્છવાસ : જેના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ લેવાની શક્તિ પ્રાપ્ત થાય. ૮ તીર્થંકરનામ કર્મ ઃ જેના ઉદયથી જીવ ત્રણે જગતમાં પૂજાય. આ કર્મનો રસોદય કેવળજ્ઞાન પછી થાય, પણ દેવો અવધિજ્ઞાન વડે જાણીને તે પહેલા પણ તીર્થંકરનામ કર્મવાળા મહાન આત્માને પૂજે. ત્રસદસક : ત્રસ તથા અન્ય પ્રકૃતિ કુલ ૧૦ ૧ ત્રસ : જે કર્મના ઉદયથી જીવને સ્વેચ્છાએ હાલવા ચાલવાની શક્તિ મળે. ૨ બાદર : જીવને આંખથી જોઈ શકાય તેવું શરીર મળે. - ,જળ ૩ પર્યાપ્ત ઃ જે કર્મના ઉદયથી જીવ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને. ૪ પ્રત્યેક : જે કર્મના ઉદયથી જીવ દીઠ જુદા શરીરની પ્રાપ્તિ થાય, એક શરીરમાં એક જીવ હોય. ૫ સ્થિર : જે કર્મના ઉદયથી જીવને દઢ અવયવોની પ્રાપ્તિ થાય. ૬ શુભ : જે કર્મના ઉદયથી નાભિ ઉપરના અવયવો શુભ હોય. %989089 0000000000000000000000000000000000000000000000606 % 80000000000000%B9%89%E0%B8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy