________________
ચાલો, તમારી પાસે હૈયું ઠાલવું છું. ભરત પાઠક અહીં છે, એટલે મને ‘ભરત-ગૂંથણ’નો સારો લાભ મળે છે. પેલી સૂફી કથાનો અનુવાદ તે કરી આપશે. આપણે ત્યાં જપ—અને તેના પ્રકાર છે, તેમ સૂફીઓમાં પણ જિદ્ર અને વાતને પ્રકાશિત કરવાની સાધના રહી છે. મને ખબર નથી પડતી કે ભજનવાણી
અને સૂફી પરંપરાના આધાર પૂરતું જ આ વાર્તાઓ માટે લખું કે તેને વૈદિક, ઋષિપરંપરા સુધી લઈ જાઉં ? કારણ કે રેફરન્સના તો ઢગલા પડ્યા છે. બે— ચાર જણ પાવડા—કોદાળી લઈ મદદમાં હોય તો ખળું ભરાઈ શકે.
જૈન મુનિઓની કથા આમ ઊંડા કૂવામાં ઊતારતી જાય છે. હેમચન્દ્રે ‘કાશ્મીરવાસિની’ની ઉપાસના કરી હતી તે સહાય ન કરે તો કૂવામાં ડૂબી મરવાનું જ આવે. તે અત્યંત દયાળુ છે અને તેના કૃપાપ્રસાદથી આ ‘અંધકૂપ’માં અમૃતજળ મળશે, અંધારું ટળશે– વિન્દેમ દેવતાં વાચમ્ અમૃતમ્ આત્મનઃ કલામ્ –
તમારો મકરન્દ
૭૨
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org