________________
હશે.
મકરન્દભાઈ,
ઘણા વખતે લખું છું. તમારું સ્વાસ્થ્ય કેમ રહે છે ? અવારનવાર સામયિકોમાં કાવ્યો વાંચું છું. ભાઈ નિરંજન રાજ્યગુરુએ સૌરાષ્ટ્રના છ કેંદ્રોમાંથી પરંપરાગત ભજનિકો પાસેની પરંપરાની નોંધણી કરવાની જે એક યોજના તૈયા૨ કરી, તેને મુંબઈના એક સાંસ્કૃતિક ટ્રસ્ટ તરફથી આર્થિક સહાય છ માસ માટે મળે તેવો પ્રબંધ થઈ શક્યો છે અને તેમણે કામ શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્ર સરકારની, સંતવિદ્યાપીઠ સ્થાપવાની યોજનાને લગતા ‘જન્મભૂમિ–પ્રવાસી'માં આવેલ સમાચારનું કતરણ અને તે સંબંધમાં મેં ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાનને લખેલ પત્રની નકલ આ સાથે બીડી છે. અત્યારની અંધાધૂંધ અને અસ્થિર પરિસ્થિતિમાં સરકાર કશું કરે એવી આશા ઘણી ઓછી છે, પરંતુ આપણે બને તે પ્રયાસ કરતા રહેવું એ દૃષ્ટિએ પત્ર લખ્યો છે.
સૌ. કુંદનિકા બહેન કુશળ હશે. ટ્રસ્ટને લગતી હરકતો ઓછી થઈ
(૩૦)
સેતુબંધ
હ. ભાયાણીના નમસ્કાર
ઠીક લાગે તો તમારી ભજનવિદ્યાપીઠની યોજનાની રૂપરેખાની નકલ, શિક્ષણપ્રધાન પર મોકલશો– જો પહેલાં ન મોકલી હોય તો.
Jain Education International
અમદાવાદ
તા. ૨૪-૨-૯૧
For Private & Personal Use Only
૪૭
www.jainelibrary.org