________________
(૧૫૬)
અમદાવાદ
૨૮-૩-૯૯ મકરન્દભાઈ,
હમણાં કેટલાક દિવસથી લગભગ રાતે ૧૨ થી ૪ ઉંઘ ઊડી જાય છેકાના, તમને તે નીંદરા નવ આવે, કાના, સૂઈ જાવને બાઘડ આવે' (દાદીમાનું ધોળ)
એવું હાલરડું ગાનાર જશોદા ન જ હોય (તમારી રીતે જોતાં, બાઘડો આવે એનું પૂરું જાણ-ભાન હોય, તોયે કશું ન વળે) અને “તારા પંડમાં પ્રાણ છે, તું રામકૃષ્ણ કહે' (દાદીમા ગાતાં તે ધોળમાં) એ બોધ કારગત નીવડતો નથી – શબ્દ છે, પણ તલ્લીનતા ક્યાં ? વળી ખુજલી પણ ત્યારે કનડે - એની દવા લેવા માંડી છે, સુધારો થશે એમ લાગે છે. તો પણ સ્કૂર્તિ વધી છે.
તાપ, તાઢ હવે કેટલાં નડે ? “કશી વાતનો ખરખરો મન નાણો, સુખદુઃખ તે દેહના ધરમ જાણો' એ ભુજંગીની ધોળની પંક્તિઓ મનમાં ઘૂટું છુંપણ દાદીમાનો ભક્તિભાવ, અંદરની આસ્થા માગ્યાં ન મળે.
કાવ્યનું ઝરણું હમણાં તમને ફૂટતું રહે છે, એ વાગીશ્વરીના કૃપા જ. સાવિત્રી વિદ્યાનું પણ ચલાવજો .
વચલો માર્ગ પણ છે : પત્ર લખાવી છેલ્લી પાંચ સાત પંક્તિ સ્વહસ્તે લખવાનું રાખશો. | મારું અપભ્રંશ ભાષાની કૃતિઓને લગતું શોધકર્ય હમણાં સારું ચાલે છે. ત્રણ અધૂરાં કામ પૂરાં કર્યા, ચોથું ચાલુ છે.
વિજય રૂબરૂ મળવા આવશે ત્યારે આંખો દેખ્યો હેવાલ આપશે.
સ્વાથ્યની ઘટતી સંભાળ તમે અને કુંદનિકાબહેન રાખતા જ હશો. ચંદ્રકળા સેવારત છે.
હ. ભાયાણીના નમસ્કાર
૨૩૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org