________________
૧૬૨
(૧૦૭)
મકરન્દ્રભાઈ,
૮–૩ના અમે અમદાવાદ પાછાં ફર્યા પછી, પહેલાં ચંદ્રકળા અને પછી હું ઉગ્ર ખાંસીનો ભોગ બન્યાં. ચંદ્રકળાને ૧૦ દિવસના એન્ટીબાયોટિક્સ કોર્સ પછી સુવાણ થઈ ગઈ. મને તેનો ચેપ લાગ્યો. દસ દિવસના કોર્સ પછી પણ મારું સાવ ઠેકાણે નથી આવ્યું. પાચન બગાડી નાખ્યું છે; પણ હવે સાદું ખાવાનું, ફળોનો રસ લઈને અશક્તિ ઓછી કરવા લાગ્યો છું. અઠવાડિયામાં સાજો થઈ જઈશ એમ લાગે છે. આ કારણે તમારા બંને પત્ર અને તેની પૃચ્છાનો ઉત્તર લખી નથી શક્યો. સિદ્ધોનાં નામો ઉપર નોંધ તૈયાર કરવાનો મારો ખ્યાલ છે. ઘણાં નામો લોકભાષામાંથી કે તેમની જે લાક્ષણિકતા હોવાનું સમજાતું તે પરથી પડ્યા લાગે છે. પણ નિરાંતે લખીશ. આ સાથે નવ. સમ.માં મારાં બે મુક્તક— અનુવાદ આપ્યા છે તેની નકલ બીડું છું. તમે જોયા તો હશે જ. પણ ચૈતન્ય વાળી ઉક્તિ—જે તમારા ધ્યાન બહાર ન જ હોય—તેનો ભાવ અનુવાદમાં ઊતર્યો છે કે કેમ- તે જાણવા માટે. હજી ‘પ્રતિરૂપ’ અને ‘વિશ્વના (વિશ્વચેતનાના) વણજારા' નિરાંતે જોઈ નથી શક્યો. અઠવાડિયા પછી વાંચી જઈ લખીશ. તમે સારી રીતે સ્વસ્થ હશો.
Jain Education International
અમદાવાદ
તા. ૪–૪૭૯
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org