________________
(૧૦૩)
મુંબઈ
તા. ૨૦–૨–૯૭ મકરન્દભાઈ,
અમે ૮-૨ ના રોજ અહીં આવ્યા છીએ. માર્ચ ૮મી સુધી રહીશું. ભાઈ સુરેશ દલાલ સાથે હમણાં જ વાત થઈ. તમારા પ્રતિરૂપ' ઉપર એ વારી ગયા છે. બીજું, બહેન હિમાંશી શેલતને કહી, આ કામને અગ્રતા આપીને તમારો રચનાઓનો પ૦૦ પાનાંથી વધે નહીં એટલો સંગ્રહ તરત તૈયાર કરી આપે. “ઇમેજ' તરફથી તરત જ તે પ્રકાશન માટે હાથ ધરાશે. તો મારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ કામ વહેલી તકે પાર પડે તે માટે ઘટતું કરશો. સ્વાથ્ય કેમ રહે છે ? મને અમદાવાદની ઠંડીને કારણે કફની તકલીફ વધી ગઈ હતી. ઓછી થઈ છે, પણ વચ્ચે વચ્ચે તે ઊંઘ બગાડે છે. દેશી દવા ક્વચિત લઉં છું. હવે થોડીક પ્રોસ્ટેટની તકલીફ પણ શરૂ થઈ હોય એમ લાગે છે. તપાસ કરાવી લઈશ.
લિ. હ, ભાયાણીના નમસ્કાર
૧૫૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org