________________
મુંબઈના દેવાંગના દેસાઈનું પુસ્તક The Religious Imagery of Khajuraho હમણાં આવ્યું. સારો વિદ્યાકીય પરિશ્રમ કર્યો છે. શૃંગારિક શિલ્પોને વર્તમાન રુચિ અનુસાર, જે ચગાવવામાં આવ્યાં છે, તે એકાંગિતાને સુધારીને, ત્રણચાર દેવાલયોની ધાર્મિક પ્રતિમાઓનું સવિસ્તર અધ્યયન રજૂ કર્યું છે.
આશીત દેસાઈ અને તેમના સાથીદારો વડે નરસિંહ મહેતાને નામે કેટલાંક લોકપ્રચલિત પદોની ત્રણ કેસેટ પ્રકાશિત કરાઈ છે. પરંપરા જાળવતા ઢાળો, શબ્દશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિની ખેવના રાખી મધુરકંઠે અને અનુરૂપ વાદ્યસંગીત સાથે રજૂ થયાં હોઈને, આથી નરસૈયાને શ્રોતાસુલભ કરવાનો એક સરસ પ્રયાસ થયો છે.
અહીં ભાઈ યજ્ઞેશ દવે મળ્યા હતા– ગઈ કાલે. તમારી વાતચીતનું ધ્વનિમુદ્રણ કરવાના એક અકસ્માત્ નિષ્ફળ પ્રયાસની વાત કરી. ફરીથી, જો મકરંદભાઈ સંમત થાય તો બને તે નોંધી લેવાની ઈચ્છા રાખે છે, કુંદનિકાબહેન, વિનોદભાઈ અને તમારી સમિતિ જો, જ્યારે અને જેટલી મંજૂરી આપે તે પ્રમાણે કરવા મેં સલાહ આપી છે. કુશળતા ચાહું છું.
હ. ભાયાણીના નમસ્કાર
૧૩૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org