________________
‘ઇષત- હસિત- વયન- ચંદ– આવું બંગાળી વૈષ્ણવો ગાય છે. રાધા કૃષ્ણની ઉપાસનાના મૂળમાં સિદ્ધોની શાબરી– વિદ્યા રહી છે. તેનાં ઇંગિતો મળે છે. ચાલો, અત્યારે તો “કદમ્બવન ચારિણી, કૃષ્ણારાધિતા' ને વંદન કરી આગળ ચાલીએ. નહીં તો કાગળને આંગણે કાગડા ઉડશે. (કળેળશે).
આ સાથે ઝેરોક્સ નકલ મોકલું છું. એમાં અબોલાની બીજી આંતર– કથાને મળતી વાત છે. આધુનિક મહાશય આ આત્મવિલોપનની કથામાં Frend ક્યાંથી લાવ્યા? ટોમસ માનની નવલકથા વાંચવી પડશે. કથાઓ દેશ—વિદેશને ભાષાના સીમાડા વટાવતી કેટકેટલી સફર ખેડે છે ! અક્ષરો ઉકેલતાં તકલીફ પડશે. કલમી આંબામાં કસ નથી, રસ જાળવજો.
– મકરન્દ
૧ ૨૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org