________________
(૮૮)
અમદાવાદ
તા. ૮-૬૯૬ મકરન્દભાઈ,
પ્રત્યુત્તર ઠેઠ આજે લખાય છે. ક્ષમā'. ગઈ કાલે મુંબઈથી આવ્યો. ભેગી થયેલી ટપાલમાં તમારો પત્ર–નિરાંતે લખેલો ૧૬મી મે નો પત્ર – વાંચ્યો. સાંજે જ પ્રદ્યુમ્નસૂરિજીનો શ્રાવક ભક્ત તેમનો ગણદેવીથી લખેલ પત્ર આપી ગયો. તમે ટાંકેલ ધ્યાનમંત્ર, માતંગી દેવીનો, સૂરિજીએ પણ મોકલ્યો છે– તેમના અનુવાદ સાથે. સહેજ ફેરફાર કરી તે નીચે આપું છું :
તુજ કરકમલે જે સ્ફાટિકી જાપમાલા નખકિરણથી રાતી, માની દાડિમી બીજ, પ્રતિપળ શુક ખેંચેજેથી તેં એ નિવાર્યો, વિભવ વિતરજો, હે વાણિ, ઓ મંદહાસ.
તમારો પત્ર આવે તેમાં અનેક અર્થસભર પગદંડીઓ તમે ચીંધી હોય. એના પરના વિચરણની વાત, તમારા નાજુક સ્વાથ્યનું નડતર બને– તમને ન “સંડોવે' એવી રીતે થોડીક કરું– મારી પ્રકૃતિ પ્રમાણે “બહિરંગને લગતી.
“માતંગી સ્તોત્ર'માંનાં ઉપર્યુક્ત પઘમાં ભ્રાંતિમાન્ અલંકાર છે : “અન્ય– સંવિત તત—તુલ્ય-દર્શને' (મમ્મટ) તથા “સદશ–દર્શનાર્દૂ વિપર્યય-જ્ઞાનમ્” (હેમચંદ્ર) એવી તેની વ્યાખ્યા છે. “કાવ્યપ્રકાશમાં આપેલ તેનું ઉદાહરણ સુંદર છે : “કપાલે માર્જર: પય ઇતિ કરાનું લેઢિ શશિનઃ' વગેરે (મારો અનુવાદ “મુક્તકમંજરીમાં, પૃ. ૨૯ ઉપર). હેમચંદ્રનું ઉદાહરણ છે : “નીલેંદીવરશંક્યા નયનયોર્ બંધૂક–બુદ્ધયાડધરે” વગેરે (મારો અનુવાદ “મુક્તક માધુરીમાં, પૃ. ૭૩, ૭૪ ઉપ૨). ગણપતિ કૃત “માધવાનલ-કામકંદલા–પ્રબંધ'માં આપેલી એક
સમસ્યા :
ચોરઈ કો ચતુરા–તણાં, આમરણાં સહૂ લીધ, માધવ ! મોતી નાકનું, એક ઊખી દીધી તસ્કરિ લૂટી તાણી, આપા પ્રાણ-પ્રમાણિ, મુત્તાહલ અધરઈં અડિઉં, તે ગુંજાહલ જાણિ” (રાતા હોઠને અડતું મોતી ચણોઠીના ભ્રમે ન લીધું).
૧૨૭
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org