________________
(૭૭)
તા. ૯-૧-૯૫
નંદિગ્રામ આત્મીય ભાઈ,
“સાહિત્યવિચાર અને વિવેચનવિચારમાં કટોકટીન મળી ને તરત રસપૂર્વક વાંચી ગયો. સામાન્ય રીતે દરેક ક્ષેત્રમાં જે કટોકટી પ્રસરી ગઈ છે તેના જ એક ભાગ તરીકે આ, રવીન્દ્રનાથના અંતિમ પ્રવચન પ્રમાણે “સભ્યતાર સંકટ' – Crisis of Civilization' છે. એ પ્રવચનમાં છેલ્લે “સંકટમોચન'નો પાઠ આશાને જીવતી રાખે છે.
તમને તો રોગ પારખીને દરદીની હાલત જાહેર કરવા માટે ધન્યવાદ. આ કાગળ એટલા માટે જ ઉતાવળે, પહોંચ ને પ્રસન્નતા દર્શાવવા લખું છું. નિરાંતે ગોષ્ઠી કરવાનું મન થઈ જાય પણ સમય-સામર્થ્યની લગામ લાગી ગઈ છે. પાનું ૧૧ “બજારહાટનું તર્કશાસ્ત્ર' શબ્દો વાંચી ડો. ચેટરજી સાથે થયેલો • વાર્તાલાપ યાદ (આવ્યો). એ સારા કલાવિવેચક ને જહાંગીર આર્ટ ગેલેરીના વરસો સુધી મંત્રી હતા. તેમણે એક વ્યાખ્યાનમાં કહેલું કે, તેમણે જ મને આ વાત અહીં આવ્યા ત્યારે કરી હતી) અવનીન્દ્ર, નંદલાલ વ. “બંગાળ સ્કૂલના ગણાતા ચિત્રકારો કરતા રવિન્દ્રનાથના ચિત્રોમાં મૂડીરોકાણ કરવામાં આવે તો સારો ફાયદો થાય એમ છે. સભાગૃહમાંથી કોઈ આ સામે કાંઈ ન બોલ્યું. એક સજ્જને ઊભા થઈ માત્ર એટલું કહ્યું : “Sir, it is vulgar'.
‘ઘાયલ’ એક શે'ર સંભળાવ્યો હતો તે યાદ :
આજ બોલબાલા છે બદબોની, આજ બદબો સુવાસ થઈ ગઈ છે'
ચાલો, વાયરા ને વાવાઝોડાને આ દુર્ગધ-ગંજ સોંપી દઈએ. ઉત્પલે ચીમકી'નું કતરણ મોકલ્યું તે ચીમકી કઈ ને કેવી તે જાણમાં નથી. હમણાં તો છાપાવાળાની અઢળક કૃપા “નંદિગ્રામ પર વરસી છે. ચીમકી, સલાહ, ઉપદેશ આક્ષેપ વચ્ચે નરસૈયો કરતાલ બજાવતો કહી જાય છે : આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મ લેવો વિચારી.
– મકરન્દ ૧. ડૉ. ભાયાણીને “અનંતરાય રાવળ વિવેચન પુરસ્કાર (૧૯૯૪) પ્રાપ્ત થયો તેના
સમારોહમાં તેમણે આપેલ વક્તવ્ય. ૧ ૧૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org