SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જીવનને પલટો વરસેના પ્રયત્ન પછી પણ નથી આવતે અને ભાગ્યશાળી આત્માઓને માત્ર ગણી પળોમાં આવી જતા હોય છે. સાવી નિર્મળાશ્રીજી પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી બે દિવસ ઉપાશ્રયમાં રહીને ત્રીજે દિવસે ગુરૂણી શ્રી ક્ષમાશ્રીજી સાથે વિહાર કરી ગયા. દેદ શાહ અને વિમલશ્રી બેકેસ પર્યત વોળાવવા ગયા. બંનેના હૃદયમાં એમ જ થતું હતું જે આપણે કમભાગી છીએ કે સંસારના બંધનમાંથી મુકત થઈ શકતા નથી. ક્યારે મુક્તિ મળશે? વળતે દિવસે દેદા શાહ અને વિમલશ્રી વિદ્યાપુર નગરી તરફ વિદાય થયાં. ઘેર પહોંચ્યા પછી બીજે દિવસે વિમલશ્રીને ખબર પડી કે છેલ્લા પાંચ દિવસથી વહુને રોજ સવારે એક વમન થાય છે અને આખો દિવસ માથું કંઈક ભારે રહે છે. વધારે ખાતરી કરતાં જાણવા મળ્યું કે, પ્રથમણિને અડચણ આવ્યાને એક મહિના ઉપર સાત આઠ દિવસ થઈ ગયા છે. વૃદ્ધ રાજદ તે મૃત્યુ પામ્યા હતા પણ તેમને વિદ્વાન પુત્ર પિતાની પ્રતિષ્ઠા અને જ્ઞાન સંપત્તિને જાળવી રહ્યો હતે. ચારેક દિવસ પછી વિમલશ્રી પુત્રવધૂને લઈને રાજૌદના ઘેર ગઈ રાજદે આવકારપૂર્વક સત્કાર કર્યો અને પ્રથમણિની નાડી પરીક્ષા કરીને પ્રસન્ન સ્વરે કહ્યું : “શેઠાણીમાં વમન અને માથાનું ભારેપણુ વહુમાને પાંચમો પૂરો થયે આપે આપ મટી જશે. રાજ સવારે કાળી ધરાખ અને ધાણાનું રાતે પલાળી રાખેલું પાનક પાજે. શરીરમાં કેઈ દેષ કે રેગ નથી. સાસુ વહુ હર્ષભર્યા હૃદયે ઘેર આવ્યા. ત્રણ મહિના ન થાય ત્યાં સુધી આ વાત કોઈને ન કરવી એવું વિમલશ્રીએ વિચારી લીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy