SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રાએ...! ૨૮૩ શ્રીપુજ મહારાજાએ માત્ર એક અઠમની આરાધના કરી અને સાત્વિક મંત્રબળના પ્રભાવે તે ધાડાંઓની દિશા ફેરવી નાંખવી અને એક વ્યાખ્યાનમાં તેઓએ કહ્યું પણ ખરું કે, “સજજને, વિધર્મીએ પણ માણસ જ છે. એનામાં સંસ્કાર અને સદાચારને અભાવ હોવાથી તેઓ અત્યાચારના શસ્ત્ર વડે વટાળ પ્રવૃત્તિમાં મગ્ન બન્યા છે. પરંતુ આપ સહુ એક વાત ચોક્કસ માનજો કે આત્મા કોઈ પણ ઉપાયે વટલાવી શકાતો નથી. આ દેહ પર કોઈ થૂકે કે મેઢામાં કઈ વિધમ કંઈ નાખે તે એથી વટલી શકાતું નથી. એટલે આવું કોઈ પ્રસંગે બને તો તમે સ્નાન શુદ્ધ થઈ શ્રીજિનેશ્વર ભગવંતની આરાધનામાં તન્મય થઈ જજે. હું આપ સમક્ષ એક કહેવત રજૂ કરું છું કે વાણિયે વટલાય નહિ અને સોનું સંડે નહિ. આ કહેવતને બરાબર હૈયામાં સાચવી રાખજે, તમારા હૈયામાં તમારે ધર્મ, તમારા આદર્શો અને તમારા સદાચારો પર નિષ્ઠા અને ભક્તિ હશે તે જગતને કઈ વાદ, જગતનું કેઈ આકર્ષણ કે જગતની કોઈ શક્તિ તમારા ખજાનાને લુંટી શકશે નહિ.” શ્રી પુજ ભગવંતનું આ પ્રવચન હજાર જનો માટે પ્રેરણાન સંકેત સમું બની ગયું. આમ ધર્મકરણ અને ધર્મની જાગૃતિના ઉસવસો ચાતુર્માસ પૂર્ણ થયે. માગસર સુદિ બીજના દિવસે તેઓ વિહાર કરવાના હતા, તે પહેલાં જ શેઠશેઠાણીએ આજીવન બ્રહ્મચર્ય પાળવાની ચોથા વતની બાધા લેવાને નિશ્ચય કર્યો. બંને માણસોએ પિતાના આ નિશ્ચયની ભગવાન શ્રીપુજ સમક્ષ જાણ કરી અને માગસર સુદિ બીજનો દિવસ ઘણે ઉત્તમ હોવાથી તે જ દિવસે સારા એવા સમારેહ સાથે શ્રી. ચતુર્વિધ સંઘ સમક્ષ દેદા શાહ અને વિમલશ્રીને ચોથા વ્રતના પાલનની જાવજીવ પર્વતની બાધા આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy