SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૫ મું : : પરાજયમાં જય...! નાગિનીદેવીને ત્યાંથી નીકળી દેદ શાહ સીધા ઘેર ગયા...કારણ કે, દુકાને જાય તે સૂર્યાસ્ત થઈ જાય. પ્રતિક્રમણ, દેવદર્શન, આદિથી નિવૃત્ત થઈ જ્યારે બંને માણસે , શયનગૃહમાં ગયાં ત્યારે દેદા શાહે નાગિની દેવીને ઘેર જે કઈ બન્યું હતું તે કહી સંભળાવ્યું. બધું સાંભળીને વિમલશ્રીએ કહ્યું : સ્વામી આપનું પુણ્યબળ અપૂર્વ છે. આપના હાથે ખરેખર એક નારીને નરકમાંથી બચાવ્યાને ઉત્તમ ઉપકાર થઈ ગયા. આવતીકાલે રસે ઈ માટે શું વિચાર્યું છે?” “ભદબાપાને આપણે મુનીમ સાથે કહેવડાવ્યું છે. બે રસોયા આવી જશે, ઉત્તમ પ્રકારની સામગ્રી બનાવી શકે તેવા સમર્થ છે. તું બહું ઉઠબેસ ન કરતી. દેદા શાહે કહ્યું. - “આખો દિ આરામ કરવાથી કાયા સામુની નબળી પડે. વૈદબાપાએ કંઈ આખો દિવસ સૂઈ રહેવાનું નથી કહ્યું. વાહનમાં ન બેસવું, ગાડાની સફર ન કરવી, વજન ન ઉચકવું અને વાયડા પદાર્થો ખાવા નહિ. આ નિયમો હું બરાબર પાળું છું. પછી ઘરમાં હરતા ફરતા તે રહેવું જોઈએ.” વિમલશ્રીએ કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy