________________
માનવી કે દેવ ?
૩૯
સુવર્ણ મુદ્રિકાએ બચી હતી તેમાંથી અઢીસો સુવર્ણમુદ્રાએ કરમચંદના પરિવારને આપી અને તે પાછો આવ્યો.
તેણે બાર મહિના ચાલે એટલું અનાજ ભરી લીધું હતું....આમ છતાં રેજીદો ખર્ચ તો ઊભે જ હતો....પચાસમાંથી પચીસ મુદ્રાઓ પત્નીને આપી....પચીસ મુદ્રામાં વેપાર શું કરે?
છએક મહિના ઘેર બેસીને કાઢયા. આવી પરિસ્થિતિ વચ્ચે પણ બંને માણસોએ પિતાની ધાર્મિક પ્રવૃત્તિમાં જરાયે કાપ નહોતો મૂકશે.
શ્રી જિનપૂજા, સામાયિક, પ્રતિકમણ, વ્રત પાલન વગેરે કિયાએ બંને માણસ જાગ્યે કશું બન્યું નથી તેમ કરવા માંડયા.
ઘેર બેઠાં કયાં સુધી ચલાવી શકાય? આશ્ચર્ય તે એ વાતનું હતું કે જયારે જહોજલાલી હતી ત્યારે સગા સંબંધીએ હર્ષભેર આવતા હતા અને શેઠ શેઠ કહીને જીભ પણ સૂકવતા નહોતા. પરંતુ આ પડતીના સમાચાર સાંભળીને કોઈ સ્નેહી કે સ્વજન ભાવડ કઈ દિશામાં રહે છે તે જોવા આવતે નહિ.
એની બહેને બે ત્રણ વાર પિતાને ત્યાં આવી જવાને સંદેશો પાઠવ્યો હતે....પણ ભાવડ સમજતો હતો કે બિચારી ભેળી બહેનનું બનેવીના સ્વભાવ આગળ કશું ચાલતું નથી. અને આવા સમયે ત્યાં જવાનો અર્થ પણ એ જ થશે કે ભાવડ કંઈક સહાય માટે આવ્યું છે ! અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org