SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભાવઃ શાહ ભાગ્યવતી થોડી જ વારમાં એઠવાડ કાઢીને આવી ગઈ અને ભાવતે વાડીમાં બનેલી સઘળી વાત ટૂંકમાં કહી સંભળાવી. આખી વાત સાંભળ્યા પછી ભાગ્યવતીએ કહ્યું : “જમનીને જોઈને મને આવી કલ્પના પણ નહોતી આવી... માનવીનાં મન પારખવાં ભારે કઠણ છે. સારું થયું કે તમે બંને ત્યાં ગયાં ત્યારે દેવળ નહોતો. નહિ તે નાનું સરખું ધીંગાણું થતાં વાર ન લાગત.” રાઘવે કહ્યું: “ધીગાણું ન થાત ભાભી..ગને માનવીનો પગ ભાંગી નાખે છે. છતાંય ધીંગાણું થયું હોત તે મારો બડીયા બેયને ધરતી ભેગા કરી વાળત! પણ મારા શેઠ ધીંગાણું થાવાજ નો દ..વાણીયાની જાત... ટાં જોખમ ખેડે નંઈ..ને હું એકલે ગયે હોત તો જરૂર કાંક નવાજુની થાત ! * * ભાવડે કહ્યું : “રાઘવ, ગોળથી મરે ત્યાં સુધી વિષને ઉપગ શા માટે કરે જોઈએ? કેઈનું જીવતર બગાડવા કરતાં સુધારવાની તક ઉભી કરવી એજ સાચો રસ્તો છે. આપણે બે ચાર ઘા નાખીને શ્યામસિંહને એકવાર ખખરે કરી નાખ્યું હોત તે એ સમજણના ઘરમાં કદી ન આવત.. અને ગમે ત્યારે બદલે લેવાનું કરત...વેર બાંધવાથી વેર જ રીચે છે... અને આપણે એને સુધારવાની તક પણ આપી છે.” ભાગ્યવતીએ સ્વામી સામે જોઈને કહ્યું: “ઈસુધરશે એવું તમને લાગ્યું છે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy