________________
અરધી રાતે કલાલનું ઘર ઊઘડાવે, દારૂ કઢાવે, દારૂ પીની ઉંદરની જેમ ડોલતો ડોલતો ફરે; ન કરવાના ધંધા કરે ! ને દિવસે પાછી ગત ગંગા ને શાણી સીતા !
મહાવીર આ ગામમાં આવ્યા. એમના અંતરમાં તો જ્ઞાનના, વૈરાગ્યના, ત્યાગના દીવડા ઝાકઝમાળ બળે. એમણે અચ્છાબાબા (અછંદક)ને જોયો, એનું ડીંડવાણું જોયું. એમણે અચ્છાબાબાને આ પાપના પાટલા ઉપાડી લેવા કહ્યું, પણ એ તે કંઈ માને !
ઊલટું એણે મહાવીરને કહ્યું : “અલ્યા ભાઈ ! અર્ધ-અર્ધ - અડધોઅડધ ભાગ. મેં બધું જમાવ્યું છે. તુંય પીરસેલા ભાણાના જમણમાં જોડાઈ જા !”
મહાવીર કહે : “ના ! એ તો પાપનું કામ ! પાખંડનું કામ !!
પછી એમણે ત્યાં આવતા લોકોને ચેતવ્યા, પણ પેલા અચ્છાબાબાની માયાજાળ એવી હતી કે લોકો ન સમજ્યા. એ તો લોભિયા-ધુતારાની જોડ હતી ને !
મહાવીરે વિચાર કર્યો કે ભેંસ આગળ ભાગવત ગાવું ઠીક નથી. મૂરખાઓને એમની રીતે સમજાવવા જોઈએ ! એમણે લોકોને હાક પાડીને કહ્યું : “અરે ભોળા લોકો ! અચ્છાબાબા તો મારો ચેલો થવા લાયક છે. હું પાતાળમાં પડેલું ધન જોઈ શકું છું; આકાશમાં રહેલાં દેવીદેવ જોઈ શકું છું; સાત સાગર ને નવ દ્વીપની નગરચર્યા અહીં બેઠો કરી શકું છું. આવો આવો ! ને તમારા કિસ્મતના ભેદ જાણી જાઓ !'
એક ખેડૂત આવ્યો. એણે કહ્યું : “મોટા મહાત્મા હો તો કહો કે કાલે મેં શું ખાધું'તું !”
કાંગનો ભાત !” વાત સાવ સાચી. ખેડૂત ચૂપ થઈ ગયો.
બીજા કણબીએ પૂછયું : “મોટા જોષી હો તો કહો, કે મેં સપનામાં શું જોયું હતું ?'
મહાવીર કહે : “જુએ શું ? તું તો સપનામાં ખૂબ રોયો હતો.” ખરી વાત. કણબીનું મોં ફાટ્યું રહ્યું. બસ ! ગામમાં વા વેગે વાત ફેલાઈ
૮૨ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org