SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ. સહુ કહે, મનના ભેદ જાણનાર મુનિ આવ્યા છે. અહીં તો ગળપણની ગંધે કીડીઓ આવે, એમ લોકો આવવા લાગ્યા. લોકોની ઠઠ જામી ગઈ. ભેટસોગાદના ઢગલા થવા લાગ્યા ! પેલો પાખંડી અચ્છાબાબા ચિડાયો. એણે મહાવીરને હલકા પાડવા તરકીબ રચી. હાથમાં દાભની સળી લઈને એ મહાવીર જ્યાં બેઠા હતા, ત્યાં આવ્યો અને જોરથી બૂમ પાડીને કહ્યું : ‘ઓ ઢોંગી ! કહે કે આ સળી હું ભાંગી શકીશ કે નહિ ?' અચ્છાબાબાની તરકીબ એ હતી કે જો મહાવીર કહે કે ભાંગી શકીશ તો ભાંગવી જ નહિ. ના પાડે તો સળી ભાંગતાં કેટલી વાર ? મહાવીર કહે : ‘નહિ ભાંગે તારાથી.' ‘એમ કે ?’ અચ્છાબાબા ખુશ થઈને બોલ્યો. એના મનમાં એમ કે ઘડીભ૨માં હું એને જૂઠો પાડું છું. એણે જોરથી કહ્યું : ‘ભાઈઓ ! આ મુનિજોષી કેવો જૂઠો છે એ તમને નજ૨ સામે બતાવું છું. એ કહે છે કે આ સળી નહિ ભાંગે ! હું તમારી નજર સામે ભાંગું છું અને એનું પાખંડ સાબિત કરું છું.' અચ્છાબાબાએ ઘાસની સળી ઊંચી કરી, ને જેવો તોડવા જાય છે, કે એના ઘસરકાથી એની આંગળી કપાઈ ગઈ ! લોહી જાય વહ્યું ! સળી સળીને ઠેકાણે રહી અને એ પાટો બાંધવામાં પડ્યો. લોકોએ મહાવીરનો જયજયકાર કર્યો. પેલા જોષી પર થૂંક્યા ને બોલ્યા : ‘અલ્યા ! તારું નામ છે અચ્છાબાબા, પણ ખરી રીતે તું ખોટાબાબા છે, ને મહાવી૨ અચ્છાબાબા છે ! બોલો મહાવીરની જે !' પણ મહાવીર આ જેજેકાથી ન ફુલાયા. એ તો સમજતા હતા કે આ દુનિયામાં એક તરફ ધુતારા છે અને બીજી તરફ લોભિયા છે. લોભિયાધુતારાની આ મંડળીના જેજેકારમાં શું શકરવા૨ હોય ! એ રાતે મહાવીર જાગતા બેઠા હતા. પેલો પાખંડી છાનોમાનો ત્યાં આવ્યો, એણે ગળગળે સાદે કહ્યું : ‘મહાવીર ! હું ખોટાબાબા, તું અચ્છાબાબા ! એક વાર નહીં, પણ સાડી સાત વાર હું કબૂલ કરું છું, પણ મારો પીછો છોડી અચ્છાબાબા ને ખોટાબાબા આ ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy