________________
ગઈ. સહુ કહે, મનના ભેદ જાણનાર મુનિ આવ્યા છે. અહીં તો ગળપણની ગંધે કીડીઓ આવે, એમ લોકો આવવા લાગ્યા. લોકોની ઠઠ જામી ગઈ. ભેટસોગાદના ઢગલા થવા લાગ્યા !
પેલો પાખંડી અચ્છાબાબા ચિડાયો. એણે મહાવીરને હલકા પાડવા તરકીબ રચી. હાથમાં દાભની સળી લઈને એ મહાવીર જ્યાં બેઠા હતા, ત્યાં આવ્યો અને જોરથી બૂમ પાડીને કહ્યું : ‘ઓ ઢોંગી ! કહે કે આ સળી હું ભાંગી શકીશ કે
નહિ ?'
અચ્છાબાબાની તરકીબ એ હતી કે જો મહાવીર કહે કે ભાંગી શકીશ તો ભાંગવી જ નહિ. ના પાડે તો સળી ભાંગતાં કેટલી વાર ?
મહાવીર કહે : ‘નહિ ભાંગે તારાથી.'
‘એમ કે ?’ અચ્છાબાબા ખુશ થઈને બોલ્યો. એના મનમાં એમ કે ઘડીભ૨માં હું એને જૂઠો પાડું છું. એણે જોરથી કહ્યું : ‘ભાઈઓ ! આ મુનિજોષી કેવો જૂઠો છે એ તમને નજ૨ સામે બતાવું છું. એ કહે છે કે આ સળી નહિ ભાંગે ! હું તમારી નજર સામે ભાંગું છું અને એનું પાખંડ સાબિત કરું છું.'
અચ્છાબાબાએ ઘાસની સળી ઊંચી કરી, ને જેવો તોડવા જાય છે, કે એના ઘસરકાથી એની આંગળી કપાઈ ગઈ !
લોહી જાય વહ્યું ! સળી સળીને ઠેકાણે રહી અને એ પાટો બાંધવામાં પડ્યો. લોકોએ મહાવીરનો જયજયકાર કર્યો. પેલા જોષી પર થૂંક્યા ને બોલ્યા :
‘અલ્યા ! તારું નામ છે અચ્છાબાબા, પણ ખરી રીતે તું ખોટાબાબા છે, ને મહાવી૨ અચ્છાબાબા છે ! બોલો મહાવીરની જે !'
પણ મહાવીર આ જેજેકાથી ન ફુલાયા. એ તો સમજતા હતા કે આ દુનિયામાં એક તરફ ધુતારા છે અને બીજી તરફ લોભિયા છે. લોભિયાધુતારાની આ મંડળીના જેજેકારમાં શું શકરવા૨ હોય !
એ રાતે મહાવીર જાગતા બેઠા હતા. પેલો પાખંડી છાનોમાનો ત્યાં આવ્યો, એણે ગળગળે સાદે કહ્યું : ‘મહાવીર ! હું ખોટાબાબા, તું અચ્છાબાબા ! એક વાર નહીં, પણ સાડી સાત વાર હું કબૂલ કરું છું, પણ મારો પીછો છોડી
અચ્છાબાબા ને ખોટાબાબા આ ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org