________________
દો ! તમે જ્યાં જશો ત્યાં તમારા જ્ઞાન, વિજ્ઞાન ને સદગુણથી પૂજાશો. માટે કૃપા કરીને મારા પેટ પર પાટુ ન મારો !'
તું પાખંડ છોડી દે. પાખંડ ન ચલાવ !' મહાવીરે કહ્યું.
જોષી કહે : “તમે શાણા થઈને કાં ભૂલો ? મારા પાખંડ સામે તમે પણ પાખંડ જ ચલાવ્યું છે ને !'
મહાવીર કહે. “વાત તારી સાચી. પાખંડને તોડવા પાખંડનો આશરો ન લેવો જોઈએ. હું તો ચાલ્યો જઈશ, પણ તું સુધરજે !
- પરોઢિયે તો મહાવીર ચાલ્યા ગયા. જોષ જોવરાવવા ઘણા લોકો આવ્યા, પણ મહાવીરને ક્યાંય ન જોયા. પેલો બાવો ઠાઠમાઠ કરીને ત્યાં બેઠો હતો.
લોકો કહેવા લાગ્યા : “અચ્છાબાબા તો ચાલ્યા ગયા. આ ખોટાબાબાને શું કરે ? ચાલો, ઘેર પાછા !”
લોકો પાછા ચાલ્યા ! પેલો ખોટાબાબા પણ ન જાણે ક્યાં ચાલ્યો ગયો ! કદાચ એ સાચો-અચ્છાબાબા થવા ગયો ન હોય !
૮૪ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org