________________
મહાવીર દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જવા નીકળ્યા. માર્ગમાં દેહ પરથી વસ્ત્ર સરી ગયું. પેલો સોમશર્મા બ્રાહ્મણ આવીને એ લઈ ગયો. ભૌતિક સંપત્તિમાં શેષ રહેલું વસ્ત્ર તો ગયું, પણ અહીંથી આગળ જતાં પ્રાણ પણ સરી જાય તેવો પ્રસંગ આવી ઊભો.
૧૯
ભય સામે અભય
દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા જવાના બે માર્ગ ફંટાતા હતા. બંને માર્ગ આઘાપાછા થઈને વાચાલા તરફ જ જતા હતા. મહાવીર ત્યાં આવીને જેવા ઊભા રહ્યા, કે ત્યાં ઘેટાં-બકરાં ચારતા ગોવાળો તેમને વીંટળાઈ વળ્યા.
ગોવાળો મહાવીરની તેજકાંતિભરી મુખમુદ્રા જોઈ, સમજી ગયા કે આ કોઈ રાજસંન્યાસી દીસે છે. રાજપાટ છોડીને લોકોના ભલા માટે નીકળ્યો લાગે છે. તેઓ ભાવથી કહેવા લાગ્યા :
‘દેવાર્ય ! આ બંને રસ્તા એક જ નગર તરફ જાય છે. આમાંનો એક રસ્તો કનકખલ આશ્રમને વીંધીને જાય છે; એ ટૂંકો રસ્તો છે. બીજો આશ્રમને પડખેથી જાય છે; એ લાંબો છે.'
મહાવીરે ટૂંકી વાટ પર ડગ ભર્યાં, પણ એ સાથે ગોવાળો બોલી ઊઠ્યા : ‘હે રાજસંન્યાસી, અહીં પણ દુનિયા જેવો ઘાટ છે : લાંબું એ સ૨વાળે ટૂંકું છે; ટૂંકું એ પરિણામે લાંબું છે. તમે જે ટૂંકો માર્ગ પસંદ કરો છે, એ માણસને લાંબો કરી નાખનારો છે. એ રસ્તે જનારા ત્યાં લાંબા થઈને સૂતા તે સૂતા, કદી પાછા
ભય સામે અભય ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org