________________
આવ્યા નથી ! એ ટૂંકા માર્ગે કનકખલ નામનો આશ્રમ આવે છે. ત્યાં એક ભયંકર સર્પ રહે છે. ચંડકૌશિક એનું નામ છે. દૃષ્ટિવિષ સર્પ છે. સામાન્ય રીતે સાપની દાઢમાં કે ફુત્કારમાં ઝેર હોય છે, પણ આ સાપની તો નજરમાં પણ ઝેર છે. નજર પડતાંવેંત માણસ ભડથું થઈને પડે છે.’
ગોવાળોને વાત કરતાંય ડિલમાં કંપારી વ્યાપી ગઈ. તેમને ખાતરી હતી કે સાપની વાત સાંભળી સંન્યાસી તરત પાછાં ડગ ભરશે. સાધુ, સંન્યાસી કે સંસારી દુનિયામાં પ્રાણ કોને વહાલો નથી ? પણ આ વાત સાંભળતાં સંન્યાસીના ચહેરા પર ભયની એક રેખા ન તણાઈ; ઊલટો એ તો એ નિર્જન વાટે આગળ વધ્યો.
-
મહાવી૨ની મુખમુદ્રા એવી હતી, કે જોનારને આપોઆપ પ્રેમભાવ પ્રગટે. ગોવાળો દોડીને આડા ફરીને ઊભા રહ્યા, ને બોલ્યા : ‘હે તપસ્વી ! પહેલાં અમારી વાત સાંભળો, પછી આગળ ડગ ભરજો.'
‘એક કાળે આ રસ્તો ધોરી માર્ગ હતો. સોનાના રથવાળા રાજાઓ, મ્યાનામાં બેઠેલી રાજરાણીઓ, મૂછે વળ દેતા સૈનિકો ને સાર્થવાહો પોતાની પોઠો સાથે અહીંથી પસાર થતા. રાત-દિવસ આ રસ્તો જાગતો રહેતો.
માર્ગે આશ્રમ આવતા. લોકો ત્યાં વિસામો લેતા, સાધુ-સંતોનો બે ઘડીનો સમાગમ કરતા. આવો એક અહીં સુપ્રસિદ્ધ આશ્રમ હતો. એ આશ્રમનો કુલપતિ બહુ સારો માણસ હતો. એ ગુજરી ગયો, ને તેની પાછળ કૌશિક નામનો તાપસ કુલપતિ થયો.
કૌશિક હતો તો તપસ્વી, પણ ભારે ક્રોધી. આશ્રમના બાગમાં ગોપબાળ રમવા આવતાં. બાળકો તો વાંદરા જેવાં અટકચાળાં. ખાવા જેવું ખાય, ને ન ખાવા જેવું તોડે ફોડે પણ ખરાં. કૌશિકને એ ગમે નહિ. એ લાકડી લઈને પાછળ દોડે. ડરના માર્યાં બાળકો નાસી જાય.
પણ બાળક કોનું નામ ? વળી લાગ જોઈને વાડીમાં પેસી જાય. તાપસને ચીડવવામાં તેમને મજા પડવા લાગી. જેટલું ખાય તેથી વધુ બગાડે ! તાપસ એ જુએ, ને મોંએથી ગાળો દેતો, લાકડી લઈને પાછળ ધાય.
બાળકોને એમ કંઈ સમજાવાય ? એમને સમજાવવાની રીત જુદી ! એમને
૮૬ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org