________________
અચ્છાબાબા ને ખોટાબાબા
મોરા૨ ગામ હલક્યું છે. સહુ કહે છે : ‘હાલો, હાલો, જોષીડા આવ્યા છે. અગમનિગમનો ભેદ ભાખે છે. થયેલું અને થવાનું સઘળું ભાખે છે. ગઈ કાલ, આજ, ને આવતી કાલ ત્રણે કાળને દીવા જેવું દેખે છે.'
---
કોઈ કહે : ‘એ તંત્ર જાણે છે, મંત્ર જાણે છે, યંત્ર જાણે છે; રિદ્ધિની રાખડિયું ને સિદ્ધિની આખડિયું આપે છે.’
૧૮
આપે
વળી કોઈ કહે છે કે ‘નિર્ધનિયાંને ધન આપે છે. વાંઝિયાને પુતર છે. મનની વાંછા પૂરી કરે છે. એના બોલે સૌ સારાં વાનાં થાય છે.’
જોષીનું નામ અચ્છેદક (અચ્છાબાબા). અચ્છાબાબા કાશી-બનારસનો ભણેલો છે, વિદ્યાનો જાણકાર છે, પણ વિદ્યા કુપાત્રને પડેલી છે. સિંહણના દૂધ જેવી વિદ્યા તુચ્છ માટીના પાત્રમાં ભરેલી છે. પછી એ ક્યાંથી ઝરે ?
શાસ્ત્ર તો સાચું, પણ એનો ભાખનાર જૂઠો. વિદ્યાનો વેપાર કરે !
ભારે ધુતારો ! દુનિયા તો લોભી છે. હરામનું મળે તો હલાલનું ન ખાય ! આમ દુનિયામાં લોભિયા હોય ત્યાં સુધી ધુતારા રહેવાના જ- ગંદકી હોય ત્યાં માખી રહે તેમ !
આ અચ્છાબાબા એવો ધુતારો જોષી હતો. દિવસે જોષ જુએ, રાતે લુચ્ચાઈ-લબાડી કરે, ભરવાડના નેસમાં પેસી નાનાં બકરાં-ગાડરાં ચોરી લાવે; રાંધીને ખાય.
અચ્છાબાબા ને ખોયબાબા એ ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org