________________
‘દશમું સ્વપ્ન સૂચવે છે કે આપ માણસ અને દેવ બંનેને કલ્યાણકારી ઉપદેશ આપશો.'
આમ ઉત્પલે નવ સ્વપ્નના ફલાદેશ કહ્યા, ને છેવટે કહ્યું : ‘સ્વામી ! ચોથા સ્વપ્નનો ફલાદેશ મારા મનમાં બરાબર ઊતર્યો નથી ! માટે મેં કહ્યો નથી. ખોટો અર્થ કહેવો તેના કરતાં ન કહેવો હું શ્રેષ્ઠ સમજું છું.’
ઉત્પલની નિખાલસતાથી મહાવીર પ્રસન્ન થયા. તેઓ બોલ્યા : ‘ભાઈ ઉત્પલ ! દરેક વિદ્વાન અર્થની બાબતમાં તમારા જેવો વિવેક જાળવે, તો કેવું સારું ! ચોથા સ્વપ્નનો અર્થ હું કહું છું. એમાં બે ફૂલમાળા દેખાઈ હતી. એનો અર્થ એ કે હું બે પ્રકારનો ધર્મ રજૂ કરીશ. એક સાધુએ પાળવાનો ધર્મ; બીજો, ગૃહસ્થે પાળવાનો ધર્મ !’
ઉત્પલ આ સાંભળી મહાવી૨ના જ્ઞાન પર પ્રસન્ન થઈ ગયો. મહાવીરે એ ચાતુર્માસ એ જ યક્ષમંદિરમાં પૂરો કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
૮૦ ૭ ભગવાન મહાવીર
www.jainelibrary.org