________________
નિમિત્તવેત્તા રહેતો હતો. એ પ્રથમ પાર્શ્વ સંપ્રદાયના સાધુ હતો. પાછળથી સાધુવેશ છોડી ગૃહસ્થ બન્યો હતો. એ નિમિત્તશાસ્ત્રથી પોતાની આજીવિકા ચલાવતો હતો.
આ ઉત્પલને પૂજારી ઇંદ્રશર્માએ રાતવાસો રહેલા મહાવીરની વાત કરી. ઉત્પલ વર્ધમાન મહાવીરનો પરિચિત હતો. એણે વાત સાંભળી ત્યારથી ચિંતાતુર હતો, પણ રાતે તો યક્ષના મંદિર પાસે ટૂકવાની એની પણ હિંમત નહોતી.
સવાર થતાં જ ઇંદ્રશર્મા સાથે નિમિત્તવેત્તા ઉત્પલ ત્યાં આવ્યો. એને હતું કે ન જાણે નવપ્રવર્જિત મહાવીરનું શું થયું હશે ! ત્યાં તો એણે યક્ષ મંદિરના ઓટલે મહાવીરને બેઠેલા જોયા. એ જ નયનસુંદર કાંતિ છે. મુખ સૌમ્ય છે. આંખો કરુણાકિરણે પ્રકાશે છે. ઉજ્જવળ લલાટ પર ચંદ્રની શીતળતા છે. એ દોડીને મહાવીરને ભેટ્યો. બધી વાત પૂછી. વિગતથી વાત જાણીને એણે કહ્યું
આપ દેવાર્થે આત્મબળથી યક્ષની ક્રૂરતાને હણી, એ ખરેખર આનંદજનક બીના છે. આત્મબળ એ જ જગતનું શ્રેષ્ઠ બળ છે.”
મહાવીરે આ વખતે પોતાને આવેલાં દશ સ્વપ્ન કહી સંભળાવ્યાં. ઉત્પલ બોલ્યો :
પહેલું સ્વપ્ન દર્શાવે છે, કે આપ મોહરૂપ પિશાચને હણશો.
બીજું સ્વપ્ન બતાવે છે, કે આપને સર્વ ધ્યાનમાં શ્રેષ્ઠયોગીઓને મહામહેનતે પ્રાપ્ત થનારું-શુકલ ધ્યાન પ્રાપ્ત થશે.
‘ત્રીજું સ્વપ્ન દર્શાવે છે કે આપ વિવિધ અંગવાળું શાસ્ત્ર રચશો. પાંચમામાં ગોવર્ગ એટલે તમારો ઉપાસક વર્ગ તમારી સેવા કરશે.
છઠું પધથી ભરેલું સરોવર બતાવે છે, કે સાગરસમાં ગંભીર આપની દેવો પણ સેવા કરશે.
“સાતમું સ્વપ્ન આ સંસારસાગરને પાર કરવાનું સૂચન કરે છે. આઠમું સ્વપ્ન આપને ઉત્પન્ન થનાર મહાન જ્ઞાન વિશે છે. નવમું સ્વપ્ન ત્રિલોકમાં આપના યશને સૂચવે છે.
પહેલું ચાતુર્માસ . ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org