________________
૧૭
પહેલું ચાતુર્માસ
પાછલી રાતના મીઠા પવનમાં મહાયોગી મહાવીરને એક મુહૂર્ત નિદ્રા લાધી, પણ એમાં એમને સ્વપ્ન આવ્યાં. પૂરાં દશ સ્વપ્ન ! એ કાળનાં આવાં નિષ્પાપ ને નિઃસ્વાર્થ માણસો માટે સ્વપ્ન પણ સિદ્ધિનાં સોપાન હતાં.
પહેલા સ્વપ્નમાં તાલ પિશાચને જાણે આપમેળે હણ્યો. બીજા સ્વપ્નમાં શ્વેત રંગનો કોકિલ એમની સેવા કરતો દેખાયો. ત્રીજા સ્વપ્નમાં રંગબેરંગી કોકિલ સેવા કરતો જોયો. ચોથા સ્વપ્નમાં બે ફૂલમાળ નજરે પડી. પાંચમા સ્વપ્નમાં સેવા કરતો ગોવર્ગ જોયો. છઠ્ઠામાં ખીલેલાં કમળવાળું સરોવર નીરખ્યું. સાતમામાં અગાધ સાગરનું જાણે ઉલ્લંઘન કર્યું. આઠમામાં ઊગતા સૂર્યનાં કિરણો પ્રસરતાં જોયાં. નવમામાં પોતાનાં આંતરડાંથી વીંટળાયેલો માનુષોત્તર પર્વત જોયો. દસમામાં પોતે જાણે મેરુશિખર પર બેઠેલા દેખાયા.
મહાવીર આ સ્વપ્ન નીરખીને જાગ્યા. એમના અંતરમાં રાતના બનાવને લીધે આનંદ આનંદ વ્યાપ્યો હતો.
ગામમાં તો સવારથી હલચલ મચી ગઈ હતી. ઉત્પલ નામનો એક
૭૮ છે ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org