________________
નાક દબાવવા લાગ્યું. તો કોઈ છરીથી નખ ખોતરતું લાગ્યું. આમ શરીરનાં સાતે મર્મસ્થાનોમાં* ભયંકર પીડા થવા લાગી.
નખ, આંખ, દાંતવાળો તો દેહ છે; મહાવીર એથી ભિન્ન છે. દેહને પીડા છે. મહાવીર તો અનંત સુખમય છે !
આખી રાત આવાં ભયંકર વીતકો સાથે વીતી, પણ મહાવીર મહાવીર નીકળ્યા. આખરે પેલો વ્યંતર આવીને એમના ચરણમાં પડ્યો :
મને ક્ષમા આપો !' ક્ષમા વેરીને હોય, તું તો મારી કસોટી કરનારો મિત્ર છે.” હું મિત્ર ? અને તે તમારો ?
“હા. મારો શું, જગ આખાનો મિત્ર થઈ શકે છે. માત્ર માર્ગ ભૂલ્યો છે. તેં તારા વેરનું ઓસડ વેરમાં જોયું છે. એમ ન કર. પ્રેમમાં જો. ક્ષમામાં જો. હિંસાનો પ્રતિકાર અહિંસામાં જો. તને ચિર શાંતિ લાધશે.”
ક્ષમા, પ્રેમ, કરુણા, ચિર શાંતિ ! ઊની ધરતી પર મેઘ વરસે, એમ એ શબ્દો વરસ્યા. ઉગ્ર વ્યંતર થોડી વારમાં નમ્ર બની ગયો. નમ્ર બનતાંની સાથે એના ખોપી આત્માને શાંતિની કળ વળતી લાગી. આજ એનું ભડભડતું હૈયું શાંત થયું. એમાં પ્રેમ ને કરુણાનાં શીતળ જળ ઊભરાયાં હતાં.
બંતર થોડી વારમાં આનંદમાં આવી ગયો. એ ગીત ગુંજવા લાગ્યો.
ઘરનાં દ્વાર ભીડીને સૂતેલા લોકોએ ધડકતે હૈયે આ વ્યંતરનું ગાન સાંભળ્યું. સહુએ માન્યું કે પેલા હઠીલા યોગીને ખતમ કરી, ખાઈ કરીને, ભર્યા પેટનું વ્યંતર સંગીત કરે છે !
લોકોએ ભયથી પથારીમાં મોં દાબી દીધું ! મહાવીરની પણ, આખી રાતના પરિશ્રમ પછી, ને છેલ્લા પહોરની શીતળતાથી, આંખ મીંચાઈ ગઈ !
* સાત મર્મસ્થાન : શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પીઠ ને નખ. વેરનું ઓસડ વેર નહીં * ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org