________________
પણ બળદની સા૨વા૨માં કોઈએ મન ન દીધું. આજ ચારો નીર્યો તો કાલ નહીં ! પાણી આજે પીવડાવ્યું, તો બે દહાડા વળી કંઈ નહીં. છાયોઓછાયો થોડા દિવસ કર્યો, પછી રામ તારી માયા !
‘ઉનાળો આવ્યો, ભરઉનાળો ! વનમાં મૃગલાં ફાટી પડે એવો ભરઉનાળો. બળદ પડ્યો છે. હવે કોઈ માથે છાયોઓછાયો કરતું નથી. પાણી ને ખડ તો કોણ નીરે ! આ તો સબ મતલબકી બાજી, એવું થયું !
‘બળદ પાણી ને ખડ વિના બોકાસાં નાખતો મર્યો; મરીને વ્યંતર થયો. એણે ગામની ખબર લેવા માંડી. કોઈકની હાલતાં-ચાલતાં બોબડી બંધ થઈ જાય. કોઈકની તો ડાકલી ફાટી રહે ! સ્ત્રીઓ ને બાળકો માથે તો રામકહાણી વીતી. ગામમાં મરેલા માણસોને ઉપાડનારા પણ ઓછા થયા. ચારે તરફ હાડપિંજરો નજરે પડે. બધા તોબા પોકારી ઊઠ્યા.
‘આખરે એને રીઝવવા ગામલોકોએ ભેગા થઈ આ મંદિર બાંધ્યું. ઠીક ઠીક ખર્ચો કરી એ દેવને અહીં બેસાડ્યો. પૂજા, આરતી, ભોગ, નૈવેદ્ય ધરવા માંડ્યાં. મને અહીંનો પૂજારી નીમ્યો. આમ જીવતા જેને જાણ્યો નહિ, એનાં મૂએ માનપાન શરૂ થયાં. છતાં આ યક્ષનો મિજાજ ભારે ખરાબ છે. વાત વાતમાં એને કૂટું પડે છે. દિવસની વાત તો ઠીક, પણ રાત, અહીં કોઈ રહી શકતું નથી.' પૂજારી ઇંદ્રશર્માએ વાત પૂરી કરી.
મહાવીર બોલ્યા : ‘આ બધા તો ભાવનાનાં ભૂત છે. મને તમે ગામલોકો એક રાતવાસા માટે અહીં રહેવાની અનુમતિ આપો !'
‘આટલો ભય છે, છતાં ?'
‘હું અભય છું. કોઈથી બીતો નથી, કોઈને બિવરાવતો પણ નથી. તમે તો નિશ્ચિંત થઈને અનુમતિ આપો !'
‘અનુમતિ આપવામાં અમારું શું જાય છે ? પણ હે રાજસંન્યાસી ! તમારું રૂપ, તમારું તેજ, આવી ભરી ભરી તરુણ વય જોઈને મને દયા આવે છે !’
પણ મહાવીર હઠીલા નીકળ્યા. ગામલોકોને અનુમતિ આપવામાં કંઈ જતું નહોતું. જશે તો જોગી એના જીવનો જશે. ગામલોકોએ અનુમતિ આપી. મહાવીર રાતવાસો રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
૭૪ ભગવાન મહાવીર
www.jainelibrary.org