________________
‘આ મંદિરનો દેવ ભારે ખોપી છે. એનું નામ શૂલપાણિ ! એ માણસને દીઠો મૂકતો નથી !'
‘પણ મારે તો ફક્ત એક રાત જ રહેવું છે. એક ખૂણો જ ઘણો થશે મને,’ મહાવીરે કહ્યું.
‘રાતની તો વળી વિશેષ મુશ્કેલી છે. દિવસે તો એ કંઈ પણ ન કરે, પણ રાત તો અહીં કોઈ પણ રહી શકતું નથી. અને રાત રહેલું બીજો દિવસ કદી જોઈ શકતું નથી.'
‘કોણ છે એ શૂલપાણિ !'
‘વાત તો સાવ નાની છે. ધનદેવ નામનો એક વ્યવહારિયો પોતાનાં કરિયાણાંનાં પાંચસો ગાડાં લઈને એક વખત અહીંથી નીકળેલો. આ કાદવકીચડવાળી વેગવતી નદીમાં એનાં ગાડાં ફસાઈ ગયાં. કેમે ન નીકળે !’
‘ધનદેવ સાથે એક બળવાન વૃષભ. એની બીજી જોડ ન જડે, ધનદેવે એ બળદને આગળ જોડ્યો. પાછળ બીજા બધા ને આગળ એ એકલો. એણે પાંચસોએ પાંચસો ગાડાં કાદવમાંથી હેમખેમ પાર ઉતાર્યાં, પણ એ પોતે તૂટી ગયો, લોહી ઓકતો જમીન પર ફસકાઈ પડ્યો ! ન ઊભું થવાય, ન હલાય
ચલાય !'
‘ધનદેવને એ બળદ પર ઘણો પ્યાર હતો, એના ધંધાનું એ સાચું સાધન હતો, પણ એને માટે રોકાવું મુશ્કેલ હતું. એ ગામલોકો પાસે આવ્યો, સહુને આજીજી કરીને કહ્યું કે માગો તેટલું ધન આપું, પણ આ બળદને જાળવજો. આજ મારી બીજી બાંહ્ય તૂટી ગઈ છે ! પણ લાચાર છું. ગાડામાં કરિયાણાં ભર્યાં છે, ને આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યાં છે !'
‘ગામલોકોએ એ બળદને સાચવવાની હા ભણી. ધનદેવે મોંમાગ્યું ધન આપ્યું. પછી ધનદેવ એ બળદ પાસે ગયો. એને પંપાળ્યો. આખા શરીરે હાથ ફેરવ્યો. અબોલ જીવ પણ પ્રેમને પરખે છે. બળદે પોતાનાં શિંગડાં ધનદેવના શરીર સાથે ઘસી પોતાની લાગણી વ્યક્ત કરી.
‘આખરે ધનદેવ આંખમાં આંસુ સાથે વિદાય થયો; ફરીફરી ગામલોકોને બળદની ભાળ રાખવાનું કહેતો ગયો, પણ ગામલોક ગરજુ નીકળ્યું. ધન લીધું,
વેરનું ઓસડ વેર નહીં * ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org