________________
૧૬ વેરનું ઓસડ વેર નહીં
દિવસ ભેંકાર છે. ધરતી સૂની છે. વન વંટોળિયા લાવે છે. ખીજડાનાં પાન ખખડે છે. મહાવીરનો પ્રવાસ આગળ લંબાય છે
ચુડેલના વાંસા જેવાં સ્મશાન બળે છે. ડાકણના દાંત જેવા તારા ચમકે છે. વંટોળ ભૂતના નિશ્વાસ જેવા લાગે છે. ખીજડાનાં પાનનો ખખડાટ પ્રેતનાં પગલાં જેવો લાગે છે.
ગામડું ગામ છે, પણ સ્મશાનભૂમિ જેવું છે. અડધાં ઘર ખાલી છે, અડધાં ઉજ્જડ છે. અડધાં જીવતાં મરેલાં હાડપિંજરોનાં અસ્થિ ચારે તરફ વેરાયેલાં છે. આ કારણે લોકો એને “અસ્થિક ગામ' કહે છે.
અસ્થિક ગામનું એ પાદર છે. કાદવ-કીચડથી મેલી થયેલી કાળી કાળી નદી વહે છે. એને કાંઠે યક્ષનું મંદિર છે.
મહાવીર પ્રવાસ કરતા ત્યાં આવ્યા. સંધ્યાની રૂઝકંઝો વળી છે. મંદિરની બહાર પૂજારી ઇંદ્રશર્મા બેઠો છે. તેજસ્વી માનવમૂર્તિ જોઈ એ ઊભો થઈને પૂછે
છે :
કેમ અત્રે પધારવું થયું ' “મારે અહીં રહેવું છે.' “આ મંદિરમાં રહેવું મુશ્કેલ છે.' “કાં ?”
૭૨ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org