________________
કુલપતિ મૂંગો મૂંગો પાછો ફર્યો.
પણ તાપસો હવે છૂટે મોંએ ટીકા કરવા લાગ્યા : “અરે આવા અકૃતજ્ઞ, ઉદાસી ને આળસુ પાડોશીથી સર્યું ”
મહાવીરને એ અપ્રીતિની તરત ભાળ પડી ગઈ. વર્ષાઋતુનો એક પક્ષ પસાર થયો હતો. માથે કાળાં વાદળ ગડેડાટ કરતાં હતાં. મહાવીરે ત્યાં ને ત્યાં પાંચ સંકલ્પ કર્યા.
૧. અપ્રીતિ થાય તેવા સ્થળે ન રહેવું. ૨. ધ્યાનને અનુકૂળ જ જગ્યા શોધવી. ૩. પ્રાયઃ મૌન રહેવું. ૪. હાથમાં જ - કરપાત્રથી ખાવું. ૫. ગૃહસ્થની ખુશામત ન કરવી.
આ પાંચ સંકલ્પ સાથે મહાવીર તરત ત્યાંથી નીકળી પડ્યા. અપ્રીતિનું સ્થાન છોડતાં એમને વાર ન લાગી. આ સંકલ્પોએ સારાં, અનુકૂળ નિવાસસ્થાનો તેમને માટે અશક્ય બનાવ્યાં. ઉજ્જડ અરણ્યો, ખંડેર મહાલયો, ભૂતિયાં મકાનો ને ખખડધજ ચૈત્યો જ તેમનાં નિવાસસ્થાન બન્યાં. પણ મહાવીર એ તો મહાવીર જ. ભય કે ક્ષોભનું ત્યાં શું કામ ?
પાંચ સંકલ્પો ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org