________________
કરવા બેસતા, એ ઝૂંપડીની એ જરા પણ દરકાર ન રાખતા. ગાયો આવીને ઘાસ ખાવા લાગતી. એમની આંખ સામે ગાયો ઘાસ ખાતી, ને મહાવીર “હઈડ' એટલુંય ન બોલતા !
પરમાર્થી તાપસી આવે વખતે કંઈ પોતાનું સંભાળીને થોડા બેસી રહે ? તેઓ દોડીને ગાયોને હાંકી કાઢતા. આવું થોડા દિવસો ચાલ્યું, પણ પછી તો સંન્યાસીઓની ભાવના મોળી પડી. એક બે દિવસ હોય તો ઠીક, પણ આ માથાકૂટ હંમેશાની થઈ ! મહાવીર તો એવી રીતે રહે છે, કે એમણે અને ઝૂંપડીને જાણે કંઈ સંબંધ નથી ! તાપસો કંટાળ્યા, ને કુલપતિને ફરિયાદ કરી.
કુલપતિને મહાવીર તરફ પક્ષપાત હતો. એણે મીઠાશથી મહાવીરને ઠપકો આપ્યો, સાથે સૂચના આપી. મહાવીર કંઈ ન બોલ્યા.
બીજે દિવસે એ તપ કરવા બેઠા. ને ગાયો આવી. પણ અહીં તો બોલે એ બીજા. તાપસો દોડ્યા, ને ગાયોને હાંકી કાઢી. સાથે સાથે કુલપતિને વિશેષ ફરિયાદ કરી. કુલપતિએ ફરી સૂચના આપી, ફરી ઠપકો આપ્યો. પણ એ દેવા એના એ !
કુલપતિએ આ વખતે જરા ચિડાઈને કહ્યું, “કુમાર ! પંખી પણ પોતાનો માળો સાચવે, તો તમે તો માણસ છો. તમારી ઝૂંપડીની તમારે દરકાર રાખવી ઘટે.'
કોની ઝૂંપડી ?' તમારી.” મારી ? મારે વળી ઝૂંપડી જ ક્યાં છે ?' ‘તમે ક્યાં રહો છો ?'
હું અનગાર છું. મારે ઘર નથી. પછી રહેવાનું શું ?'
“અરે, આવી વાતો છોડી દો. તમે જે ઝૂંપડીમાં રહો છો, એની રક્ષા કરવી તમારી ફરજ છે.”
અરે ! જે ઝૂંપડીમાં આ અમૂલખ આત્મા રહે છે, એની જ આળપંપાળ છોડી છે, તો વળી આ ઝૂંપડીની સારસંભાળ ક્યાં કરું ? કેવી રીતે કરું ?”
તાપસને મહાવીરના આ બોલમાં જનક વિદેહીના શબ્દોના પડઘા સંભળાયા. મિથિલા બળે એમાં મારું શું બળે ?”
૭૦ % ભગવાન મહાવીર
-
- -
-
-
-
-
-
- -
-
-
-
-
=
=
==
=
=
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org