________________
અહીં રહો, ને આ પવિત્ર એકાંતમાં તમારાં ધ્યાન, તપ અને સંયમને વિસ્તારો !'
મહાવીરે એ પ્રેમ-નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો ને આગળ વધ્યા, દિવસો તપવા લાગ્યા. રાત્રિઓ ગરમ શ્વાસ છોડવા લાગી.
મહાવીરના દેહ પર ઉત્તમ પ્રકારનાં અત્તર ને ચંદન મહેકતાં હતાં. એ અત્તર ને ચંદન એટલાં ઉત્તમ પ્રકારનાં હતાં, કે ભમરાંઓનાં ટોળાં ફૂલબાગ સમજી, એમના દેહ પર તૂટી પડતાં, અંગે અંગે તીણા દંશ દેતા. કાળી બળતરા ચાલતી, પણ મહાવીર કોનું નામ !
એ મુખ મલકાવતા વિચારતા કે આ ભ્રમરોના ડંખ તો સામાન્ય છે. મોહભ્રમરના ડંખ જેઓને લાગે છે, એની પાસે આ કંઈ બિસાતમાં નથી ! દિવસોથી સ્નાન નહોતું. વિલેપન નહોતું. દેહ પર ધૂળના રજકણ પથરાઈ ગયા હતા. છતાં તેજ છીપે નહીં ભભૂત લગાયો, એવું હતું.
મધુર કાંતિ, નિર્મળ લાવણ્ય, સૌષ્ઠવભર્યો દેહ જોઈ, એકાંત નીરખીને કેટલીક સ્ત્રીઓ મહાવીર પાસે આવતી, એમને વનવિહાર માણવા નિમંત્રણ આપતી. એ ચાળા કરે, ચટકા કરે, પણ એ બધું પર્વતને તરણાના પ્રહાર જેવું નિષ્ફળ નીવડે છે !
પરિભ્રમણ કરતાં ચોમાસું બેસી ગયું. મહાવીરને મોરાક આશ્રમના કુલપતિનું નિમંત્રણ યાદ આવ્યું. વરસાદના ચાર મહિના ગાળવા મહાવીર એ આશ્રમમાં આવીને રહ્યા. આશ્રમના કુલપતિએ પ્રેમથી પર્ણકુટી બાંધી આપી. મહાવીર ત્યાં જ્ઞાન-ધ્યાનમાં રત બની ગયા.
વરસાદ પડવો શરૂ થયો હતો, પણ હજી તૃણ ઊગ્યાં નહોતાં. ભૂખી ગાયો ચારા માટે ઠેર ઠેર ભટકતી હતી. પર્ણકુટીઓ જોઈ એ ત્યાં આવી પહોંચી. તાજા ઘાસના પૂળાની એ બનાવેલી હતી, પણ જેવી ગાયો ત્યાં આવી કે તાપસો લાકડીઓ લઈ બહાર નીકળી પડ્યા. ગાયોને હાંકી કાઢી.
ભલે ગાયો પવિત્ર હતી, ઘાસ ખવરાવવાને યોગ્ય હતી; પણ એથી કંઈ પોતાની ઝૂંપડી ખવરાવી દેવાય ? ઘર બાળીને કોઈ તીરથ કરે ખરું ?
આમ તાપસોને માથે તપ તપવા ઉપરાંત ગાયો હાંકવાનું કામ આવ્યું. એમાં અધૂરામાં પૂરું પારકી લોથ પણ માથે પડી. મહાવીર જે ઝૂંપડીમાં ધ્યાન
પાંચ સંકલ્પો આ ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org