________________
૧૫
પાંચ સંકલ્પો
પંખીની જેમ પરિભ્રમણ કરતા મહાવીર મોરાક સન્નિવેશમાં આવ્યા. અહીં ઇજ્જત તાપસનો આશ્રમ આવેલો હતો. આશ્રમ ગોચરોને કાંઠે, એક સુંદર ઝરણાને તીરે વસેલો હતો. ધરા લીલી છે, ધાન્ય ઢળેલી છે. હરિયાળા ઘાસ પર આખો દિવસ હરણાં ગેલ કરે છે. ચારે તરફ વનરાજિ પ્રસરેલી છે. ફળ-ફૂલના ઢગલેઢગલા ઊતરે છે.
આ તાપસ, મહાવીરના પિતાનો મિત્ર હતો. એણે દૂરથી મહાવીરને નીરખ્યા. અરે ! એક રાજકુમારની આ દશા ! દેહ પર વસ્ત્ર પણ નથી તો આભૂષણ ક્યાંથી હોય ? પગમાં ઉપાનહ નથી. માથે છત્ર નથી. બાંયે બાજુબંધ નથી. નિષ્ફર સૂર્ય માથા પર તપે છે. પાનખરના ઝંઝાવાતોએ દહને રજભર્યો બનાવ્યો છે.
કુલપતિ તાપસ, મહાવીરને પ્રેમથી ભેટવા દોડ્યો. મહાવીર તો પ્રેમનો અવતાર હતા. બે હાથ પહોળા કરી તેને ભેટ્યા.
તાપસે કહ્યું : “કુમાર ! રાત અહીં રહો !'
મહાવીર રાત રહ્યા, પ્રભાતે ઊઠીને આગળ ચાલ્યા. વિદાય વેળાએ કુલપતિ તાપસે પ્રેમભરી બાનીમાં કહ્યું,
રાજકુમાર ! આઠ મહિનાની વાત નથી કરતો. એમ તો આ તમારો આશ્રમ જ સમજો, પણ ચોમાસાના ચાર માસ માટે મારી વિનંતી છે. ચાર માસ
૬૮ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org