________________
આપણાં જ ઊભાં કરેલાં એ હોય છે. હું દુઃખથી ભાગવા માગતો નથી. દુઃખથી છૂટવા પણ માગતો નથી. હું દુ:ખ ભોગવવા માગું છું. આટલું નોંધી લો, કે કોઈ પણ લોકનાયકની મુક્તિ એના પોતાના ઉદ્યમ, બળ, વીર્ય ને પરાક્રમ પર જ નિર્ભર છે.’
પણ દેવરાજ ઇંદ્રનું મન કેમ માને ?
ને મહાવીર પારકી સહાય પણ કેમ સ્વીકારે ?
એમણે તો સંક્ષેપમાં સમજાવ્યું કે જે દુનિયાના દુઃખથી ભાગે, એ દુનિયાનાં દુઃખ શી રીતે વિદારી શકે ? સહુ સહુના ધર્મ અદા કરે !
પ્રાતઃકાળે મહાવીર પાછા પોતાને ગામ કોલ્લાગ આવ્યા. એ બે દિવસના ઉપવાસી હતા.
બહુલ નામના બ્રાહ્મણે પ્રીતિથી કાંસાના તાંસળામાં ખીર આપી. મહાવીર એ આરોગી ત્યાંથી ચાલી નીકળ્યા.
હું એકલવીર ! આ ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org