________________
પુરુષ ત્યાં ઊભો હતો.
એણે કહ્યું, ‘હું દેવરાજ ઇંદ્ર છું. તું આ પુરુષને પિછાણતો લાગતો નથી.' ગોવાળે ડોકું ધુણાવી ના કહી.
‘મૂર્ખ ! એ રાય સિદ્ધાર્થના પુત્ર રાજસંન્યાસી વર્ધમાન છે !’
ગોવાળ પોતાની ભૂલ સમજ્યો. એણે પગમાં પડતાં કહ્યું : ‘આપ ભગવંતને મેં ન ઓળખ્યા ! જેણે આખું રાજપાટ તજી દીધું, એને મેં મૂરખે બળદચોર માન્યા ! ધિક્કાર છે મને !'
ગોવાળ શરમાતો, લળી લળીને પગે લાગતો બળદ લઈને ચાલ્યો ગયો. દેવરાજ બોલ્યા : ‘ભગવન્ ! આપના માર્ગમાં આવા તો અનેક મૂરખા આવશે અને આપને હેરાન કરશે !'
મહાવીર બોલ્યા : ‘મને જેટલો ફૂલ ૫૨ પ્યાર છે, એટલો કાંટા પર પણ છે. પૃથ્વીનાં અર્ધા યુદ્ધ ને ઝઘડા ગેરસમજમાંથી જન્મ્યાં છે. કોઈ કોઈને સમજવા યત્ન કરતું નથી. ઢાલની બે બાજુ વિચારવાની બુદ્ધિ કોઈકની પાસે જ હોય છે.’
દેવરાજ ઇંદ્રે કહ્યુ : ‘ભગવંત, બાર વર્ષ સુધીનો આપનો અરણ્યવાસ અનેક વિપદાઓ લાવશે. મને આપની સહાય માટે આપની સમીપમાં રહેવાની અમુમતિ આપો. હું આપના નિર્વિઘ્ન પ્રવાસની ખેવના રાખીશ.’
ભગવાન હસીને બોલ્યા :
‘આત્માનો માર્ગ એકાકી જ છે. અંતરશત્રુનો નાશ કરવા નીકળનાર અરિહંતો કદી કોઈની સહાય સ્વીકારતા નથી. જીવનશુદ્ધિનો આ પ્રવાસ સહુએ એકલા જ ખેડવાનો હોય છે. દેવ, મનુષ્ય કે પશુઓ જે વિઘ્નો ઊભાં કરે તે હું જાતે-કોઈની સહાય વિના જ-સહન કરવા માગું છું.'
‘પ્રભુ ! ઠીક કહું છું. મારી સહાય સ્વીકારો !'
‘દેવરાજ ! આત્માના શતદલ પદ્મને ખીલવવું છે, ને તે પણ તપ, સંયમ ને ધ્યાનથી. દેવ, અસુર કે માનવ કોઈની પણ સહાય આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે નિરર્થક છે. ત્યાં તો માનવીએ એકલવીર રહેવાનું છે. દુઃખ ભલે આવે
Jain Education International
For Private & Personal Use Only
૬૬ એ ભગવાન મહાવીર
www.jainelibrary.org