________________
અંધારું થતાં થતાંમાં તો મંદિરના પૂજારી પણ બારણાં બંધ કરી ચાલ્યો ગયો. સીમ-પાદરમાં આઘે આઘે કોઈ ન રહ્યું ! માણસ તો શું, જાનવરને પણ તે જગ્યાએ ભય હતો.
ભયનું સામ્રાજ્ય વ્યાપી ગયું. અભયમૂર્તિ મહાવીર ખૂણામાં પલાંઠી વાળી બેસી ગયા. ને હાકલા-પડકારા સાથે રાત ઊગી. થોડી વારમાં રૂંવા ખડાં કરે તેવી ડાકલી વાગવા લાગી. ચિત્કાર, પોકાર ને પ્રાણપોકોથી ઘોર રાત વધુ ઘોર બની.
હૈયું ફાટી જાય તેવું વાતાવરણ જામ્યું. એકાએક કાળજુ કંપાવે તેવું અટ્ટહાસ્ય સંભળાયું. મંદિરના પથરા પણ એથી ખળભળી ઊઠ્યા, પણ મહાવીરના એક રૂંવાડામાંય કંપ ન થયો. - ત્યાં તો કોઈ જંગલી હાથી બારણું તોડીને અંદર પેઠો - સીધો મહાવીર પર. એમને સુંઢમાં પકડ્યા, ઉપાડ્યા, ઉલાળ્યા, પછાડ્યા, પગ નીચે ચગદી નાખ્યા ! ભલે ચગદી લે ! દેહને મૃત્યુ છે. મહાવીર તો અમર છે.
હાથી થોડી વારમાં અદૃશ્ય થયો. ત્યાં મોટા મોટા નખ ને દાંતવાળો પિશાચ આવ્યો! એણે તો નખથી મહાવીરનું માંસ તોડવા માંડ્યું; દાંતથી ચાવવા માંડ્યું ! મનુષ્ય-માંસની જાણે મિજબાની માંડી !
મહાવીરના મુખ પર એ જ શાંતિ છે. જાણે એ શાંતિ બોલી રહી છે : રે ! તારી ભિક્ષુકની સુધા સંતોષાશે, એય મહાવીરના દેહની સાર્થકતા છે. નિરાંતે જમજે ભાઈ ! ઊણો-અધૂરો ન રહેતો !
પિશાચ પણ અલોપ થઈ ગયો, વાહ રે માયાનગરી ! એકાએક નીચેની ભૂમિમાંથી, પાતાળ ફોડીને આવતા શેષનાગના અવતાર જેવો, વિષધર સાપ નીકળી આવ્યો. ભયંકર ફુત્કાર સાથે એ ધસ્યો. ધસીને મહાવીરના દેહ પર ડંખ પર ડંખ મારવા લાગ્યો. મહાવીર તો જેમ બેઠા છે એમ જ બેઠા છે. જળમાં કમળની જેમ.
જેને વાસનાના ડંખ ન લાગ્યા, એને વિષધરના ડંખ શું કરી શકવાના હતા ? નિરાંતે તું તારું કાર્ય બજાવ, ભાઈ ! મને ભય નથી. મને વેર નથી. જગતમાં વેરનો બદલો મારે લેવાનો નથી. પ્રેમ ને કરુણા મારા સાથી છે !
વેરનું ઓસડ વેર નહીં છ ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org