________________
એ નજરમાં પશુને માનવ બનાવે તેવું જાદુ હતું. સોમશર્મા ઘડીભર એ નજરના સ્પર્શથી ઢીલો પડી ગયો. એને પોતાનો લોભ અકારો લાગ્યો, પણ પાછો થોડી વારમાં એ લાલચને વશ બની ગયો, અને વસ્ત્ર લઈને પાછો ફર્યો.
પોતાને ગામ પાછો ફરીને, એ સીધો તૂણનાર પાસે પહોંચ્યો. એણે જોયું કે એ વખતે તૃણનાર એક સામાન્ય સ્ત્રી સાથે વાતચીત કરી રહ્યો હતો. પેલી સ્ત્રી કહેતી હતી :
‘દ્રવ્યની ભારે અછત છે, પણ મારા જીવનપ્રેમીની ભેટને વેચવા દિલ ચાહતું નથી ! પેટ ભરાશે તો ઠીક, નહિ તો ફોડી નાખીશ એ પાપી પેટને !”
સોમશર્મા આ વાત સાંભળી રહ્યો. એણે વિચાર્યું કે શું એક સામાન્ય સ્ત્રી કરતાં પણ મારું બ્રાહ્મણનું શીલ હલકું ? શું હું બ્રાહ્મણ મટી ભિખારી બની ગયો ? સાચી ભિક્ષા તો લેનાર અને આપનાર બંનેને તારે. મારી ભિક્ષા શું મને દિનહીન બનાવી ગઈ !
બે પળ એ થોભ્યો. પછી એણે વસ્ત્ર બગલમાં દાળ્યું, ને પછી ઝડપથી પાછો વળ્યો. તૃણનારે એને ઘણો બોલાવ્યો, પણ એણે પાછા વળીને ન જોયું
ઘેર આવી દેવને ચરણે એ ભેટ ધરી દીધું, ને બોલ્યો :
ભલે મને સંસાર મૂર્ખ કહે, પણ દરિદ્રનારાયણ પ્રભુએ દષ્ટિમાત્રથી આપેલું જ્ઞાન હું ભૂલી શકતો નથી. ભલે હું ગરીબ રહ્યો, પણ મારી ગરીબાઈ આગળ શ્રીમંતનો વૈભવ ઝાંખો પડશે. હું તો સરસ્વતીપુત્ર ! લક્ષ્મીદાસ નહિ ! બ્રહ્મત્વ છાંડી, સોનાનો મેરુ મેળવીશ તોય હું સુખી નહિ થાઉં !”
બ્રાહ્મણ એ દિવસે આદર્શ બ્રાહ્મણ બની ગયો.
૬૨ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org