________________
૧૧
ભરત જેવા ભાઈ
એ દિવસોય વહી ગયા. નદીનું જળ, સમયનો પ્રવાહ ને માણસનું આયુષ્ય કયે દિવસે થંભ્યાં છે, કે આજ થંભે ! એ તો સતત વહ્યા જ કરે છે, ને એ વહેણ જગતને તાજું ને તાજું રાખે છે ! એ વખતના પરાક્રમી પુરુષો સાથરે સૂઈ દેહ ન તજતા. દેહની કાર્યશક્તિ અલ્પ થાય, હૈયાધારણ ઘટી જાય, જીવનના બધા ધર્મ અદા થઈ જાય ત્યારે હાથે કરીને મોતની સજ્જા પાથરતાં.
કોઈ પ્રિયજન પ્રવાસે સંચરતો હોય તેમ, એ સહુની વિદાય માગતા, સહુની સાથે ખમતખમૈયાં કરી લેતા, ને પછી અનશન કરી શાંતિપૂર્વક પ્રાણત્યાગ
કરતા.
ચોળેનાન્તે તનુત્યખ્યામ્ ! આ મૃત્યુ માંગલિક લેખાતું. શોકના શબ્દો ત્યાં બોલાતા નહિ. મિથ્યા માયાનાં ઘમ્મરવલોણાં ત્યાં ઘૂમતાં નહિ !
દિવસ ઉપર જે સહેલાઈથી સંધ્યા આવે, સંધ્યા પછી જે અનિયત ક્રમથી પ્રભાત આવે-એવો આ જીવનક્રમ હતો.
આ જીવનક્રમને અનુસરીને રાજા સિદ્ધાર્થ ને રાણી ત્રિશલાએ એક દિવસ પ્રસ્થાનની સર્વ તૈયારીઓ કરી, સ્નેહીજનોની વિદાય લીધી, પુત્ર-પુત્રીઓને અંતિમ ઉપદેશ આપ્યો, સહુને જગતનો આ અનિવાર્ય ભાવિક્રમ સમજાવ્યો, ને એ માટે શોક ન કરવા કહ્યું.
ને પછી અનશન આદરી બેસી ગયાં ! ન ખાવું, ન પીવું; માત્ર ઇષ્ટ
ભરત જેવા ભાઈ ! ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org