________________
મહર્ષિઓ સંસારને એ નાવથી તરે છે ! એ નાવને સંભાળ ! એ નાવિકને જગાડ !'
યશોદા કહે છે : “શું તમે જગતને મૃત્યુથી તારશો ?'
વર્ધમાનકુમાર જવાબ વાળે છે : “જરૂર ! મૃત્યુનો જ છેદ ઉડાવી દઈશ ! ન રહેશે વાંસ, ન બજશે વાંસળી ! અજ્ઞાની જીવો પળે પળે મરે છે ! જ્ઞાની જીવો એક જ વાર મરે છે ! મેં મૃત્યુના મારણનો માર્ગ શોધ્યો છે ! મૃત્યુ મરી ગયું, પછી કોણ મરશે ?'
યશોદા કહે છે : “એ શી રીતે ? મૃત્યુને કોણ મારી શક્યું છે ? “મૃત્યુ ધર્મથી મરે છે !”
યશોદાનું મન તૃપ્તિ પામે છે. એ કહે છે “નાથ ! તમારું સુખ જગતના સુખમાં છે અને મારું સુખ તમારા સુખમાં છે !”
યશોદા ! કેવી મહાન પત્ની તું ! તારા સૌભાગ્ય કરતાં જગતના સૌભાગ્યની તને વધુ ખેવના છે. રે ! સંસાર કડવો વખ થઈ જાય, સંબંધ બધા ખાટા થઈ જાય, અંગ બધાં ખોટાં પડી જાય, પછી સૌ સંસાર છોડે એવો હું નથી, હું તો સંસાર મીઠો હોય ત્યારે જ એને છોડવા માગું છું ! અને તેય નાસીને, કે ભાગીને નહિ ! પ્રાતઃકાળનો સૂર્ય આખો દિવસ પોતાનું કાર્ય પૂરું કરી જેમ સાંજે ચાલ્યો જાય છે, સંસાર એનો શોક ધરતું નથી, કારણ કે ફરી નવી આશા ને તેજ સાથે તે ઊગવા જાય છે ! એમ હું જવા માગું છું.”
જેમાં તમે રાજી, એમાં હું રાજી ! મારું ભૌતિક સુખ જોઈને રાચું એવી હું પામર નારી નથી. હું મહાવીરની પત્ની છું સ્વામી !”
“ધન્ય યશોદા તને !'
2.
૧. સરીરમાંદુ નાવ રિ, નવો યુધ્ય નાડો |
શરીર નાવ છે, જીવ નાવિક છે. – ઉત્તરાધ્યયન बालाणं अकामं तु मरणं असई भवे । पंडियाणं ससामं तु, उक्कोसेण सई भवे ।। બાળ-અજ્ઞાની જીવોનું વારંવાર મરણ થાય છે. પંડિતોનું મરણ એક જ વાર થાય છે.
-- ઉત્તરાધ્યયન
૪૪ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org