________________
રાતનો અફસોસ નકામો છે ! પણ આવતી રાતની ચિંતા અનિવાર્ય છે. અધર્મની રાત, એળે ગઈ સમજ ! સુધર્મની રાત સફળ થઈ સમજ !”
વ્યાકુળ વર્ધમાનને નીરખી પતિપરાયણા યશોદા કહે છે :
સ્વામી ! આકાશમાં લાખ તારાઓ છે, પણ પૃથ્વી પર તો ચંદ્રમાનો જ પ્રકાશ પથરાય છે. દુનિયા પુરુષોથી ભરેલી છે, પણ મારા આરાધ્યદેવ તો તમે એક જ છો. મારો ત્યાગ આપને સુખી કરી શકે, તો એ ત્યાગ મારો ધર્મ બનશે. સીતાએ રામને ભજ્યા, એમ હું તમને સદાકાળ ભજીશ.”
વર્ધમાનને સુશીલ પત્ની પર વહાલ છૂટે છે : એ પ્રેમભરી બાનીમાં બોલે છે : “કોનો ત્યાગ ? યશોદા ! મમત્વનો – મારાપણાનો ? મારાનો ત્યાગ જરૂરી છે, એ કરતાંય મમત્વબુદ્ધિનો ત્યાગ વિશેષ જરૂરી માનું છું.
“તારો હોઈને તારો નથી. સંસાર આપણો હોઈને આપણો નથી : એ બુદ્ધિ કલ્યાણ કરનારી છે.”
આવો માણસ સંસારમાં સાચો રાહ જોઈ શકે છે.'
વર્ધમાન વળી વિચારમગ્ન બની જાય છે. યશોદા મહાન પતિની મહાન ભૂમિકાને સમજનારી છે. પતિનાં સ્વપ્નોમાં એ રાચે છે. પતિના જેવી ગરુડપાંખે એ ઊડી શક્તી નથી, છતાંય પૃથ્વી પર રહી રહી એ પતિને અનુસરવા મથે છે !
પતિ જમતા નથી. પત્ની જમતી નથી ! પતિ અંગરાગને અડતા નથી. પત્ની એને જોવા પણ ઇચ્છતી નથી ! પતિ રાજવૈભવથી વિમુખ રહે છે, યશોદા સાધ્વીભાવ સેવે છે ! એ મહાન નારી આત્મવિલોપનનું વ્રત લઈને બેઠી છે. વર્ધમાન પત્નીના પૂર્ણિમાના પૂર્ણ વિકસિત ચંદ્ર જેવા મુખને મ્યાન થયેલું જોઈ કહે છે : “યશોદા ! સંસાર સમુદ્ર છે. શરીર નાવ છે. આત્મા નાવિક છે. ૧. નાના વદવ રચી, ર સા નિયત્તા
ઇષ્મ સુરત્નમાળ, સત્તા ગત્તિ રો - ઉત્તરાધ્યયન
जरा जाव न पीडेइ, वाही जाव न वड्ढई । નવિવિયા ન દાતિ, તાવ ઘમ્મ સમાયરે - દશવૈકાલિક
૨. નૈ માડમ ઝા, સે ગદા મમાડ્યું !
- જે મમત્વ ભાવનો ત્યાગ કરે છે, તે મમત્વનો પરિત્યાગ કરે છે. – આચારાંગ. ધન્ય યશોદા તને ! ઈ ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org