________________
એ શોધ એ મારા જીવનનો મહાન ઉદ્દેશ !
આ વિચારોમાં વર્ધમાનની નિદ્રા નિદ્રા નથી રહેતી, જાગૃતિ ને વિચારની પળો બની જાય છે ! જગતની જે રાત્રિ, એ વર્ધમાનનો દિવસ બને છે !
વહાલસોયી પત્ની યશોદા ને પુત્રી પ્રિયદર્શના સાથે હરતાં-ફરતાં વર્ધમાન ભર્યા જગતમાંથી જાણે એકાએક ખોવાઈ જાય છે ! થોડી વારે એકદમ સાવધાન બની જાય છે, ને બોલે છે :
સંસારના આ ઝંઝાવાતોમાં –
‘ભય અને દ્વેષના દોષોથી જે નિવૃત્ત છે, એ જગતના સાચા મહાવીર છે ! એ પોતાના વહાલસોયા જીવની જેમ અન્યનો જીવ અન્યને પણ વહાલો માને છે ! આમ માની કોઈના પ્રાણનો નાશ કરતા નથી !”
પતિની આવી વાતોને યશોદા સાંભળી રહે છે. સમજણ નથી પડતી, પણ પતિના અજંપાને સમજે છે. એ સ્વામીને હેતથી ઘણી વાર સમજાવે છે ! નિદ્રા લેવા વિનવે છે ! પણ એ રામ એના એ ! હૃદયનો રંગ એમ કંઈ છૂટે ! ઘડી પહેલાં પોતાના મુક્ત હાસ્યથી રાજમહેલને કિલ્લોલિત કરનાર વર્ધમાન વળી કોઈ ઊંડી આંતરગુફામાં પ્રવેશી જાય છે !
યશોદા એમને ઢંઢોળે છે.
વર્ધમાન સાવધ થતાં કહે છે : “યશોદા ! પાણી હોત તો રોકી લેત, જુવાની રોકી રોકાતી નથી. જરા અને મૃત્યુ એના દ્વાર પર ખડાં છે !'
આજે ખીલેલું ફૂલ કાલ સુધી નહિ રહે ! સાંજના તડકાની જેમ, જિંદગી અસ્ત થતી જાય છે ! જીવનને નિત્ય-વહેતું ઝરણ ન માનતી ! પર્વત પરથી સદા પ્રપાત પડતો નથી ! હવાના ઝોકાની જેમ જિંદગી બે દિનની છે. યશોદા ! જે રાત વીતી ગઈ, એ હવે પાછી આવવાની નથી ! વીતી ગયેલી
૧. સર્વે નવા વિ ત્તિ, ગતિ મરિળિયું !
બધા જીવો જીવવા ઇચ્છે છે. કોઈને મોત પસંદ નથી.
૨. સર્વે પ્રવર્તેવા ગ્રો સર્વે ને હિંમયા !
બધા જીવોને દુઃખ અપ્રિય છે, માટે કોઈએ એમને પીડા ન પહોંચાડવી. -- સૂત્રકૃતાંગ.
૪૨ ૪ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org