________________
નિરાધાર ચીસો અનુકંપા જન્માવે છે.
પંડિતોએ વિદ્યાને વિવાદનું શાસ્ત્ર બનાવ્યું છે. લડવૈયા દેહને હણે છે, તો આ પંડિતો માનસિક હત્યામાં મગ્ન બન્યા છે. એમને બીજો નાનો અને પોતે મોટા, બીજો નીચે ને પોતે ઉચ્ચ, એમ માણસને તોળાતોળ કર્યા વગર ચેન નથી ! બીજા મૂર્ખ ને પોતે ડાહ્યા એમ આઘાત-પ્રત્યાધાત વગર શાંતિ નથી !
પંડિતોએ વિદ્યાને વેપારની – આજીવિકાની ચીજ બનાવી છે. કલ્યાણની હેતુભૂત વિદ્યા; એ જ વિદ્યા એમના સર્વસ્વની હરનારી બની છે ! આત્મસંપદાને લૂંટનારી બની છે !
વૈશ્ય ધનસંપદાનો સંગ્રહનારો, તોયે એની ભૂખ કદી ભાંગી નથી. એ સદા અજંપામાં સૂએ છે, ને અજંપામાં જાગે છે ! એનું મન એ છે, કે જગત આખાનું ધન, સુવર્ણ, પશુ, હું મેળવી લઉં. ચોરીમાં અને એનામાં શાબ્દિક સિવાય વિશેષ ફેર રહ્યો નથી !
સ્ત્રી કામવાસનાની દાસી બની રહી છે. એ શણગાર સજે છે, પણ એના ચિત્તમાં આનંદ નથી. એ હસે છે, પણ એને મુક્ત હાસ્યની સ્વતંત્રતા પણ નથી. મુક્તિ એની નથી ! શાસ્ત્ર એનાં નથી ! ધર્મ એનો નથી !
શૂદ્રોની તો કોઈ ગતિ નથી. કમોત એમની મુક્તિ છે. ફુજીવન એમનો સંસા૨ છે. એઠવાડ એમનું ભોજન છે. હીનતા એમનું આભૂષણ છે ! છતાં સર્વત્ર ભય પ્રસરેલો છે.
શસ્ત્રો છે, ક્ષત્રિયો છે વિદ્યા છે, પંડિતો છે છતાં સર્વત્ર અજ્ઞાન ને પાપાચાર પ્રસરેલો છે. ધન છે, ધનિકો છે – છતાં અછતની અછત લાગ્યા કરે છે !
સ્ત્રી છે, ભોગ છે, વાસના છે છતાં અતૃપ્તિ ઘરઘરની વાત બની છે. વર્ધમાન વિચારે છે કે આ બધાં સુખનાં સાધનો છતાં દુ:ખનાં નિમિત્ત બન્યાં છે !
-
Jain Education International
-
એવું કયું દિવ્ય રસાયણ શોધું કે આ બધામાં પરિવર્તન આવે ! ત્યાં કોઈ રંક ન હોય, રાય ન હોય; ઉચ્ચ ન હોય, નીચ ન હોય. દુઃખી ન હોય, દરિદ્રી ન હોય. ગા વાળે એ ગોવાળ – એવો ઘાટ હોય. પ્રીતિનું એક મહાઝરણ સહુને પખાળતું વહેતું હોય.
ધન્ય યશોદા તને ! × ૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org