________________
- સાવ નિષ્કપ છે. વંટોળિયો નાનાં ઝાડવાંને ધ્રુજાવે, પણ ઘેઘૂર વડલાને તો સ્પર્શીને જ ચાલ્યો જાય.
વર્ધમાનના મનમાં એક અજબ સિતારી સતત વાગ્યા રહેતી. ખાતાંપીતાં, ઊઠતાં-બેસતાં, કોઈ પણ કામ કરતાં એમને ત્રણ વાતોના રણકાર સંભળાતા.
હું કોણ છું ?” “શું કરવા આવ્યો છું ?” “મારે શું કરવાનું છે ?”
ત્રણ જ્ઞાનના ધારક વર્ધમાન યુવાનીમાં જ જ્ઞાનવૃદ્ધ બની ગયા. શાસ્ત્રભાનું સો વર્ષનું આયુષ ભોગવનારમાં પણ આટલી તીવ્ર જ્ઞાનૈષણા નહોતી જોવાતી.
એ વિચારે છે : નિહાળે છે : દિદિગંતમાં પડઘા પડે છે : શોકના, મોહના, વિલાપના ! યુદ્ધના, શોણિતની તૃષાના ! - સુખ માટે ઝાવાં મારતું જગત દુઃખી દુઃખી છે : બહારથી સુખી લાગતા જીવ જેવો અંતરથી વલોપાતો જીવ કોઈ નથી. માણસ જાણે દંભ પર જીવે છે.
રાજા યુદ્ધમાં પડ્યો છે, અંતઃપુરમાં ગૂંથાયો છે. પદ્મત્રો એની માનવતાને ખાઈ ગયાં છે. છળપ્રપંચોએ એને માનવીના હૃદય ઉપર શ્રદ્ધા રહેવા દીધી નથી ! રાજા રક્ષક રહ્યો નથી, ભક્ષક બન્યો છે. એનાં બંને લોક બગડે છે !
યુદ્ધ તો અહીં જાણે સદાકાળના થઈ ગયાં છે. સીમાડાઓ સદા રક્તથી બંધાવા લાગ્યા છે. એક રાજા બીજા રાજાનો દુશ્મન છે. માતા વસુંધરાના ખંડ ખંડ કરીને, જાણે વેપારીઓની જેમ, એના હાડમાંસ ત્રાજવે તોળવા બેઠા છે.
દેશનું, રાષ્ટ્રનું, પ્રાંતનું, કુળનું, સત્તાનું – એમ જાતજાતનું અભિમાન માનવ માટે શાપરૂપ બન્યું છે. અનાથ વિધવા ને નિરાધાર બાળકો ને અપંગોથી જગ આખું ઊભરાઈ રહ્યું છે.
સાચું સુખ ક્યાંય નથી ! દુઃખનો કોઈ સુમાર નથી.
માનવીને જીવનના અંત સુધી સંસારરંગમાંથી છૂટવાનું ગમતું નથી. વૃદ્ધાવસ્થા આવીને ગરદને પકડે છે ! વરુની જેમ છીંકોટા નાખતો લડવૈયો, ઘેટાની જેમ મૃત્યુ ભણી ખેંચાઈ જાય છે ! મૃત્યુ વખતની એ બહાદુરની કરુણ
૪૦ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org