________________
૧૦ ધન્ય યશોદા, તને !
ક્ષત્રિય કુંડગ્રામ એક વાર વાઘ ને ગીતથી ગુંજી ઊઠ્યું. ધોળ-મંગળ ગવાયાં. આંગણે રંગોળી પુરાઈ.
ટોડલે ટોડલે તોરણ બંધાયાં ને મંદિરે મંદિરે શંખ ફૂંકાયા. મણિ-માણેકના થંભ રોપાયા. મોતી-પરવાળાની ચોરી રચાઈ.
વર્ધમાનકુમાર કુમારી યશોદા સાથે પરણી ઊતર્યા ! એમનું સુખી દાંપત્ય કેવડાની જેમ મહેકી રહ્યું, ને જાઈ-જૂઈની જેમ ખીલી ઊઠ્યું.
સંસારનો વેગવંત પ્રવાહ એકદમ આગળ ધર્યે જતો હતો. આંખ ઉઘાડીને બંધ કરીએ, એટલામાં તો વર્ષો વીતી ગયાં ! વર્ધમાન કુંવરને ત્યાં પારણું બંધાયું. પારણામાં નાગરવેલ જેવી દીકરી ઝૂલી રહી ! પ્રિયદર્શના એનું નામ ! એ દીકરી પણ મોટી થઈ, ને યોગ્ય ઉંમરે જમાલિ નામના રાજકુંવર સાથે એને પરણાવી. સંસારનો ક્રમ છે ને ? દીકરીને ઘેર દીકરી, પણ પારણે ઝૂલી
રહી.
મહાવીરનો ગૃહસ્થવાસ ધન્ય બની રહ્યો. માતાપિતા આ બધું ભરી આંખે જોઈ આનંદના ઝૂલે ઝૂલી રહ્યાં.
પણ માણસનું મન કોણ જાણી શક્યું છે ? મહાવીર જળકમળનું – અંતરથી અળગું અને નિરાળું – જીવન જીવી રહ્યા હતા. બહારથી દુનિયાના રસમાં મસ્ત દેખાતા, છતાં અંતરથી સાવ અળગા હતા.
મહાવીરના દેહદ્વાર પર મુગ્ધ યૌવનાવસ્થા આવીને ખડી છે, પણ એ તો ધબ્દ યશોદા તને ! જ ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org