________________
“બેટા ! એક વચન એ કે તું લગ્ન કર ! લીલી વેલ જોઈને અમે જઈએ.”
“આપ્યું!” વર્ધમાને લેશ પણ ખચકાયા વગર કહ્યું. જાણે એણે મન સાથે અગાઉ નિર્ણય કરી લીધો ન હોય !
“બીજું વચન એ કે અમે જીવીએ ત્યાં સુધી તારે રાજત્યાગ ન કરવો ! અમારી આંખ સામે રહેવું.”
ભલે, એમ જ થશે. મા ! જળમાં કમળ રહે, એમ મને જીવતાં આવડે છે !”
“વત્સ! તારે માટે અનેક કહેણ આવ્યાં છે, પણ એમાં સર્વોત્તમ વસંતપુરના સમરવિર રાજાની પુત્રી યશોદાનું છે ! રાજકુમારી યશોદા રૂપનો નિધિ છે, ગુણનો સાગર છે !”
“રાજકુમારી યશોદાને કહ્યું છે, ને કે આ તો માળાનું પરદેશી પંખી છે ? ઊડવા લાગે ત્યારે અફસોસ ન કરે !” જ “કુમારીને બધી વાત કહી છે. એણે કહ્યું કે માતાજી ! ચિંતા ન કરશો. સાથે ઉડાશે તો ઊડીશ, નહિ તો માળો સાચવીને બેસી રહીશ. હું તો પરાક્રમીનાં પગલાં પૂજનારી નારી છું !”
તો માતાજી ! તમારું મન રાજી રહે તેમ કરો ! મારું પહેલું તીર્થ તમે છો !”
૩૮ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org