________________
છે. એણે રાગમાં વિરાગની ભાવના ખડી કરી છે. માતાને જોતાં જ પુત્ર ઊભો થઈને માતાને ચરણે પડ્યો.
“મા, તને વંદું છું.”
માતાએ જુવાન પુત્રને નાના શિશુની જેમ પંપાળ્યો, બાથમાં લીધો, કેશ સૂંઘ્યા. અનેક પ્રકારની આળપંપાળ કરવા માંડી, પણ માતા કંઈ બોલતી નથી, બોલવા જાય છે, પણ એનાથી બોલાતું નથી. એનાં કમળદળ જેવાં લોચનોના છેડા ભીના બની જાય છે.
આ જોઈ વર્ધમાન વ્યાકુળ થઈ જાય છે, વિચારે છે : શું જનનીને મારાથી કોઈ સંતાપ થયો ?
એ પૂછે છે : “મા ! મા ! શું મારાથી કોઈ અપરાધ થયો ?”
“બેટા ! તું અને અપરાધ ? ચંદન અને ઉષ્ણ ? બને જ કેમ ? પણ આજ મારી ઇચ્છા કહેવા આવી છું.”
“માતા ! આ સંપૂર્ણ જીવન જ તમારું હોય ત્યાં માગવાનું શું ? ને આપવાનું શું ?”
બે બાજઠ પર માદીકરો સામસામે બેઠાં.
“બેટા ! વચન આપ પછી કહું !”
“આપ્યું, મા !”
“વત્સ ! તારા પ્રેમમાં તો કોઈ વાતની ખામી નથી. તું માતૃવત્સલ, પિતૃવત્સલ, બંધુવત્સલ, કુટુંબવત્સલ, કુળવત્સલ છે. સાથે સાથે હું એ પણ જાણું છું કે તું જગવત્સલ છે ! જગતના તમામ જીવો તરફ તને ભારે કરુણા ને પ્રેમ છે. હું એવી મા નથી, કે તને ઘરના ઘેરામાં પૂરી રાખવા માગું ! જગવત્સલ પુત્રની મા બની, જગજ્જનની બનવાની મને પણ હોંશ છે, પણ અમે મા-બાપ છીએ. અમારે તારી સાથે જળમીનની પ્રીત છે. ગમે તેવું માછલું જળ વિના જીવી ન શકે. અમે થોડા દિવસનાં મહેમાન છીએ. એવું ન બને કે તું જા અને અમે ઝૂરી ઝૂરીને મરીએ. માટે બે વચન માગું છું !” માગવાનું ન હોય; તમે તો આજ્ઞા આપો ! હું
“મા ! તમારે વચન માતૃભક્ત મહાવીર છું.” પહેલું તીર્થ તું ! ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org