________________
એટલું એ તેજસ્વી થાય છે. માટીનો ઘડો નોંભાડાના શેક-તાપ પછી કેવો કાર્યક્ષમ બને છે !”
“વર્ધમાન ! ત્યાં પગે ચાલવું પડશે. સાપ-વીંછીનાં રહેઠાણ પાસે સૂવું પડશે. વાઘ-વરુ તારું સુલલિત માંસ ખાવા આંટા-ફેરા માર્યા કરશે ! અજાણી ભોમ, અપરિચિત ધરતી ! આપણું કહીએ એવું કોઈ નહિ, ત્યાં....”
મારા સાહસને કોઈ સંદેહ નડવાનો નથી. તમે સગવડને સુખ માનો છો; હું હાથે કરીને ઊભી કરેલી અગવડમાં સુખેથી જીવીશ. આત્માના ધર્મને ઉજાળવા હું મારા દેહને તપ ને સંયમની ભઠ્ઠીમાં શેકીશ. એ ભઠ્ઠીમાંથી એક એવું રસાયણ શોધવા માગું છું, કે જે મારું અને જગતનું કલ્યાણ કરી શકે. એને પ્રાપ્ત કરનાર રંકને પણ, ચક્રવર્તીને અલભ્ય એવી શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય.”
“ત્યાં માબાપ, ભાઈભાંડુ, મિત્ર-સ્વજન ક્યાંથી મળશે ?”
જે વસ્તુ ચલિત છે, એનો મોહ નિરર્થક છે. માબાપનું છત્ર સદાકાળ માથે રહેશે, એવી ખાતરી આપતા હો, તો હું વિચાર કરું. મિત્રો ! જે નાશવંત છે, એની ચિંતા ન કરો ! જે અમર છે, એની શોધ માટેનો મારો રાહ સરળ કરો ! મિત્રદાવે મારી આટલી માગણી છે.”
આ પછી મિત્રો કંઈ ન બોલ્યા; માત્ર નમન કરીને ચાલી નીકળ્યા. માતા ત્રિશલા પાસે આવી, પોતાની હાર કબૂલ કરીને એ ઊભા રહ્યા, ને બોલ્યા :
માતા ! વર્ધમાન અન્ય રાજકુમારોની જેમ નાનીશી દુનિયાનો જીવ નથી ! અમે એને તર્ક, દલીલ કે બીજા કોઈ ભયથી જીતી શક્યા નથી, બલકે અમારી હાર સહર્ષ કબૂલ કરીએ છીએ.”
“હું એના કલ્યાણ માર્ગને બરાબર પિછાણું છું. હું પણ એના માર્ગનો કંટક થવા માગતી નથી. છતાં ભાઈઓ ! દુનિયામાં સહુ દિલોમાં માતાનું દિલ વિચિત્ર છે !” ત્રિશલાદેવીએ વર્ધમાનના મિત્રોને જવાબ દેતાં કહ્યું, “હું એને તમારી જેમ તર્ક, દલીલ કે શબ્દજાળથી સમજાવવા માગતી નથી. માતાના હૈયાની ભાષાથી હું એનું અંતર પિગળાવવા ઇચ્છું છું.”
રાણી ત્રિશલા સીધેસીધાં પુત્ર પાસે પહોંચ્યાં. પુત્ર તો જોગીનું જીવન જીવે
૩૬ છે ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org