________________
ઇચ્છતી. પુત્ર બળવાન બને, જગત આખાને જીતવા નીકળી, દિગ્વિજય કરી ઘેર આવે, એવા મનોરથ એ સેવતી. એ મનોરથ માટે રણાંગણે લડવા જતા પુત્રને એ ઉત્સાહથી વિદાય આપતી. કાં જીત, કાં મૃત્યુના વ્રત સાથે વિદાય લેતા પુત્રને એ ચૂમી ચોડતી, કંકુ ઘોળતી.
પણ માતા ત્રિશલાનો આ પુત્ર, આવા રણજંગ કરતાં જુદા પ્રકારના જદ્દે નીકળવાનું ચાહતો હતો. એ યુદ્ધ શત્રુને શત્રુ ગણી એને સંહારવાનું નહોતું, શત્રુને મિત્ર બનાવી વિજય વરવાનું હતું. એમાં બાહ્ય શત્રુઓ કરતાં માણસે અંદરના શત્રુઓને જીતવાના હતા. આ પ્રકારના જુદ્ધ પુત્ર ચઢે, એ માતાઓને સામાન્ય રીતે ગમતું નથી.
ત્રિશલાદેવી, વર્ધમાનના મિત્રોને એને સમજાવવા મોકલે છે. વર્ધમાનના મિત્રો પણ વિવેકી છે. છતાં વર્ધમાન પર મોહવાળા છે. મોહ માણસને સત્ય ભુલાવે છે. વર્ધમાન આવી વિરાગની વાતો કરે, એ એમને પણ ગમતું નથી. તેઓ વર્ધમાનને સમજાવે છે :
વર્ધમાન ! બીજા વિચારો છોડી દે ! રાજમહેલમાં બેઠાં બેઠાં તું તારે જે કરવું હોય, તે કરને ! મન ચંગા તો કથરોટમેં ગંગા.”
મિત્રો ! હું સગવડિયો ધર્મ પાળનાર નથી, મન એવું સુખશીલિયું હોય છે, કે જરા કષ્ટ સહન કરવાનું આવે, કે તર્ક કે દલીલોના કાંટા રસ્તામાં વેરવા શરૂ કરે. મારો રાહ નક્કી છે. તર્ક કે દલીલો કે છટકબારીઓને એમાં સ્થાન નથી.”
વર્ધમાન ! અરણ્યમાં આપણા માટે કંઈ કોઈ રાંધીને બેઠું હોતું નથી ! ચામડાની આ ઝૂંપડીમાં આગ લાગશે ત્યારે શું કરીશ ? ભૂખ-તરસ શું વેઠાશે ?”
“મિત્રો, તમને સહુને એક ભ્રમણા છે, કે ખાધાપીધા વિના કેમ જિવાય ? મારે તમને એ બતાવવું છે કે ખાધાપીધા વિના જિવાય છે, સુખે જિવાય છે !”
વર્ધમાન, તારા વિચારો ઊંચા છે, પણ રાજમહેલોમાં પોષેલું આ શરીર અરણ્યનાં ટાઢ-તડકા કેમ વેઠી શકશે ?”
મારે એ જ કરી બતાવવું છે. જીવનને માપવાનો મારો ગજ જુદો છે. હું માનું છું કે ભૂખ-તરસ, દુ:ખ-દરિદ્રતાથી શરીરને જેટલું તપાવી શકીએ
પહેલું તીર્થ તું! આ ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org