________________
પહેલું તીર્થ તું !
જૂના વખતમાં રાજા રામચંદ્ર થઈ ગયા. તેમના પિતાનું નામ દશરથ. દશરથ રાજાએ રાણી કૈકેયીને બે વચન આપેલાં. પિતાએ આપેલાં એ વચન પાળવા યુવરાજ રામે ગાદીત્યાગ કર્યો, ને વનવાસ સિધાવ્યા.
કમાર વર્ધમાનની બાબતમાં આથી ઊલટું બન્યું. માતાએ ખુદ એમની પાસે બે વચન માગ્યાં. માતા-પિતાની ભક્તિને કારણે કુમાર વર્ધમાને વનવાસ
ત્યાં સુધી ન સ્વીકાર્યો, જ્યાં સુધી તેઓ જીવિત રહ્યાં અને તેમને પ્રસન્ન કરવા લગ્ન પણ કર્યા.
કસ્તૂરીના દાબડાને ગમે તેટલો સંતાડીએ, પણ તેની સુવાસ તેને ક્યાંથી સંતાવા દે ? કુમાર વર્ધમાનના વિચારો, એનું વિવેકભર્યું વર્તન, નિર્ભયતા, નિખાલસતા કંઈક જુદું જ કહેતાં હતાં. એ દુનિયાની નાની-મોટી વાતોમાંથી જુદો જ સાર તારવતા. સહુ સમજતા થયા હતા, કે વાસના અને વિલાસભર્યા આ રાક્ષી જગતનો એ જીવ નથી.
એણે અરણ્યના એકાંતમાં જવાના, મૌન ને ચિંતનભરી પળોમાં મગ્ન થવાના, સંસાર જમે ને પોતે ભૂખે રહે, સંસાર ફૂલ પર ચાલે અને પોતે કાંટા પર ચાલે એવું અજબ જીવન જીવવાના કોડ થતા હતા. નાનપણથી આત્મકલ્યાણ ને જગકલ્યાણના એને ઓરતા જાગતા હતા.
પણ માતા-પિતાનો જીવ છે ને ! ક્ષત્રિય માતાઓ પરાક્રમી પુત્રને
૩૪ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org