________________
બ્રાહ્મણ કહે છે, કે યજન-યાજન, પઠન-પાઠનના અધિકારી અમે, શાસ્ત્ર પર અમારો હક. તમે ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એમાં શું સમજો ?
વૈશ્ય વિચારે છે કે અમારે રાજ સાથે કંઈ નહિ, શાસ્ત્ર સાથે લાગેવળગે નહિ; કમાવું ને ધન ભેગું કરવું, એ અમારો ધર્મ !
શૂદ્રની તો કોઈ સ્થિતિ નથી ! સહુની સેવા કરવાનો, નગર બહાર રહેવાનો ને ગંદકીમાં સબડ્યા કરવાનો એનો ધર્મ !
અને આ ધર્મના ભાગ તો જુઓ ! સૌનો નોખો નોખો ધર્મ, પણ માનવનો ધર્મ એ કોઈનો નહિ !
વર્ધમાન વિચારે છે કે આ વાડા બધા ખોટા ! એકને જન્મ માત્રથી ઊંચો ને નીચો ગણવો, એમાં પણ હિંસા છે. માણસ પોતાના કર્મથી નાનો-મોટો લેખાવો જોઈએ.
જે સાચો શૂરવીર તે ક્ષત્રિય; પછી ભલે ગમે તે વર્ણનો હોય. જે ભણે-ભણાવે તે બ્રાહ્મણ; પછી ભલે ગમે તે નાતનો હોય. એમ જે વેપાર કરે તે વૈશ્ય
જે સેવા કરે તે શૂદ્ર .
શૂદ્ર પણ ભણી શકે ને સચ્ચરિત્રી થઈ બ્રાહ્મણ થઈ શકે. ક્ષત્રિય પણ ભણીગણીને બ્રહ્મપદ પામી શકે. પ્રયત્નની બલિહારી છે. પ્રયત્ન કરનારને કશુંય અપ્રાપ્ય નથી. માણસમાત્ર સમાન રહેવા જોઈએ ! સમત્વ એ જ ધર્મ.
સ્ત્રીઓની સ્થિતિ પણ એવી. પુરુષની એ દાસી ગણાય. એને સ્વતંત્ર રીતે જીવવાનો કોઈ અધિકાર નહિ. શાસ્ત્ર એનાથી વંચાય નહિ ! પોતાના પગ ૫૨ ઊભા રહેવાય નહિ ! બાળપણમાં બાપ જાળવે, યુવાનીમાં પતિ ને બુઢાપામાં પુત્ર ! એ સંન્યાસ લઈ શકે નહિ !
વર્ધમાનને આ પણ ભારે અન્યાય લાગે છે ! એમનો વિવેકદીપ જગતનાં આવાં અંધારાને જોઈ વળે છે !
વર્ધમાનના દિલમાં લાગ્યા જ કરે છે, કે શક્તિ, બળ, તાકાત ભલે ગમે તેટલાં મોટાં હોય, પણ દયા અને પ્રેમથી વિશેષ મોટાં નથી. સંસારમાં પ્રેમ ને દયાનું સામ્રાજ્ય જમાવું, તો જ જીવતરનો કંઈક અર્થ સરે !
૩૨ ૫ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org